Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચના સ્પા સંચાલકના હાથ-પગ બાંધી ફેંકી દીધેલી લાશ રહાડ-વછનાદ માર્ગ પાસે મળી

Share

ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના રહાડ-વછનાદ માર્ગ પરથી એક યુવાનનો હાથ-પગ બાંધેલી હાલતમાં મૃતદેહ મળી આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. ઘટનાની જાણ થતાં જ વાગરા પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. તપાસ દરમિયાન મૃતકની ઓળખ ભરૂચ શહેરના ઝાડેશ્વર વિસ્તારમાં રહેતા અને સ્પા વ્યવસાય સાથે સંકળાયેલા કૃણાલ પટેલ તરીકે થઈ હતી.

મળતી માહિતી મુજબ કૃણાલ પટેલ છેલ્લા કેટલાક દિવસોથી ગુમ હતા અને તેમના ગુમ થવા અંગે ભરૂચ શહેર ‘સી’ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે અજાણ્યા શખ્સોએ કૃણાલ પટેલના હાથ-પગ બાંધી ગળે ટુંપો આપી તેમની હત્યા કરી હોવાની આશંકા છે. હત્યા બાદ મૃતદેહને વાગરા નજીક લાવી ફેંકી દેવાયો હોવાની શક્યતા પોલીસ સૂત્રોએ વ્યક્ત કરી છે. વાગરા પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી વધુ તપાસ શરૂ કરી છે. હત્યાનું ચોક્કસ કારણ શું હતું, કોણ સંડોવાયેલા છે અને સમગ્ર ઘટનાક્રમ શું છે તે જાણવા માટે પોલીસ દ્વારા વિવિધ દિશામાં તપાસ તેજ બનાવવામાં આવી છે.

Advertisement

Share

Related posts

ભરૂચ જીલ્લાનાં પનોતા પુત્ર અને સાંસદ અહેમદભાઇ પટેલનાં નિધનથી ભરૂચ જીલ્લામાં શોકની લાગણી છવાઈ.

ProudOfGujarat

અંકલેશ્વર શહેરના ચૌટા બજારના જુના શાક માર્કેટ વિસ્તારમાં ભારે વરસાદ વચ્ચે બે માળનું મકાન ધરાશાયી

ProudOfGujarat

ભરૂચ ના વગુસણા ગામ નજીક આવેલ રબર ની ફેક્ટરીમાં અચાનક ભીષણ આગ લાગતા ભારે અફરાતફરી નો માહોલ સર્જાયો હતો જોકે ફાયર વિભાગ ની મદદ થી આગ ઉપર કાબુ મેળવવા માં આવ્યો હતો..

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!