અંકલેશ્વર પબ્લીક સ્કુલમાં ધોરણ ૧૦ ના વિધ્યાથીઁઓના યોજાયેલાં વિદાય સમારંભમાં સામાજીક અગ્રણી જયકાંતભાઇ પટેલ જણાવ્યુંકે આ સ્કુલમાંથી આપ ઘણું બધું મેળવીને શિખીને જઇ રહ્યા છો એમાં સાથે હસ્યા, સાથે શીખ્યા, સાથે સપના જોયા અને ખુબ સારુ શિક્ષણ મેળવ્યું. હું મારી આપના ઉજવ્વળ ભવિષ્ય માટે શુભેચ્છા પાઠવું છું. સંસ્થાના પ્રમુખ નાઝુ ફડવાલાએ જણાવ્યું કે સવઁ વિધ્યાથીઁઓને બાળપણથી કિશોરાવસ્થા સુધી આ સ્કુલ સાથે સંબઘ રહ્યો. પ્રથમ દિવસની શરમ,મિત્રતાની મીઠી યાદો અને પરીક્ષાનો તણાવ અને સફળતાની ખુશી તમે જોઇ છે. ધોરણ ૧૦ એ આપની કારકીઁદીનું પહેલું પગથયું છે.આપ જરુર સફળ થશો.શિક્ષકા નિમીષા પટેલે વિધ્યાથીઁઓને પરિક્ષાનું માગઁદશઁન અને પ્રોત્સાહાન આપી સફળતાની શુભેચ્છા પાઠવી હતી.કયઁકમમાં સેકન્ડરી અને હાયર સેકન્ડરીના આચાર્ય કવીતા કાલગુડે અને પ્રી-પ્રાયમરી અને પ્રાયમરી ના આચાયઁ શ્રદ્ધા પટેલ ની ઉપસ્થીતીમાં યોજાયો હતો,જેમાં સ્કુલ ના ટ્રસ્ટી સ્કુલના શિક્ષકો દ્વારા વિધ્યાથીઁઓની ઉપસ્થીતીમાં કાયઁકમ યોજાયો હતો.વિદ્યાર્થીઓએ સાંસ્કૃતીક કાર્યક્રમ રજુ કયોઁ હતો.વિધ્યાથીઁઓએ પોતાના સ્કુલ અને શિક્ષકો સાથે અનુભવો રજુ કયાઁ હતા. કાયઁકમનું સંચાલન શિક્ષકા સફરીન શેખ દ્વારા કરવામાં આવ્યું હતુ.
અંકલેશ્વર પબ્લીક સ્કુલમાં ધોરણ ૧૦ ના વિધ્યાથીઁઓનો વિદાય સમારંભ યોજાયો
Advertisement
