Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચમાં પર્યાવરણમિત્ર હોલિકા દહન તરફ પહેલ, પાંજરાપોળે શરૂ કર્યું ગોબરના છાણાનું વેચાણ

Share

 

ભરૂચ શહેરમાં આવનારી હોળી પર્વને ધ્યાનમાં રાખી પર્યાવરણના જતન સાથે હોલિકા દહન કરવામાં આવે તે માટે અનોખી પહેલ હાથ ધરાઈ છે. જે.બી. મોદી પાર્ક નજીક આવેલ ભરૂચ પાંજરાપોળ દ્વારા ‘આત્મનિર્ભર ગૌ માતા અભિયાન’ અંતર્ગત ગાયના ગોબરમાંથી બનાવેલા છાણાંનું ઉત્પાદન અને વેચાણ શરૂ કરવામાં આવ્યું છે.

Advertisement

હોળી દરમિયાન પરંપરાગત રીતે હોલિકા દહનમાં મોટા પ્રમાણમાં લાકડાનો ઉપયોગ થતો હોય છે, જેનાથી વૃક્ષોનું નુકસાન તથા પ્રદૂષણ વધે છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને પાંજરાપોળ ટ્રસ્ટીઓએ પર્યાવરણમિત્ર વિકલ્પ તરીકે ગોબરના છાણાં તૈયાર કરવાની યોજના અમલમાં મૂકી છે.

પ્રતિ નંગ રૂ. 5ના દરે છાણાં ઉપલબ્ધ કરાવવામાં આવી રહ્યા છે અને હાલ તેનું એડવાન્સ બુકિંગ પણ શરૂ થઈ ગયું છે. છાણાના વેચાણથી પ્રાપ્ત થતી રકમ પાંજરાપોળના વિકાસ અને ગૌસેવા કાર્યોમાં વપરાશે.

પાંજરાપોળના ટ્રસ્ટી મહેન્દ્ર કંસારાએ જણાવ્યું હતું કે, ગૌમાતાની સેવા સાથે પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપવો આ અભિયાનનો મુખ્ય હેતુ છે. લાકડાની જગ્યાએ ગોબરના છાણાંનો ઉપયોગ કરવાથી પ્રદૂષણમાં ઘટાડો થશે અને કુદરતી સંસાધનોનું સંરક્ષણ શક્ય બનશે.

આ પહેલને શહેરમાં સારો પ્રતિસાદ મળી રહ્યો છે અને નાગરિકોને પણ પર્યાવરણમિત્ર હોલિકા દહન માટે ગોબરના છાણાં ઉપયોગ કરવા અપીલ કરવામાં આવી છે.


Share

Related posts

अक्षय कुमार के एक बड़े फैसले से बदल गयी इस कंटेस्टेंट की किस्मत

ProudOfGujarat

આદિવાસી ગ્રામીણ વિસ્તારોમાં પાણીની તંગી મામલે ભારતીય ટ્રાઇબલ પાર્ટી દ્વારા ભરૂચ કલેકટર કચેરીના ગેટ પર સૂત્રોચ્ચાર કરી માટલા ફોડી વિરોધ પ્રદશન કરવામાં આવ્યું.

ProudOfGujarat

અંકલેશ્વર જી.આઈ.ડી.સી માં પાર્ક કરેલી બાઈકની ચોરી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!