Proud of Gujarat
FeaturedGujaratINDIA

કરજણ તાલુકાના વલણ હોસ્પિટલ ખાતે નિ:શુલ્ક નેત્રરોગ નિદાન શિબિર યોજાઇ

Share

કરજણ તાલુકાના વલણ – પાલેજ માર્ગ પર આવેલી વલણ હોસ્પિટલ ખાતે ટંકારીયા ગામના વતની આદમભાઇ ખુશી હાલ યુ કે તેઓના પરિવાર તેમજ વલણ હોસ્પિટલના સંયુક્ત ઉપક્રમે નિશુલ્ક નેત્રરોગ નિદાન શિબિર યોજાઇ હતી જેમાં મોટી સંખ્યામાં દર્દીઓએ લાભ લીધો હતો. આયોજિત નેત્રરોગ નિદાન શિબિરમાં વલણ હોસ્પિટલમાં ફરજ બજાવતા નિષ્ણાત તબીબ ડૉ. રાજેશ પટેલ, સહિત તબીબી ટીમ દ્વારા તબીબી સેવાઓ પ્રદાન કરાઇ હતી.

આયોજિત નેત્રરોગ નિદાન શિબિરમાં ૩૦૦ ઉપરાંત દર્દીઓએ લાભ લીધો હતો. ૧૦૦ જેટલા જરૂરિયાતવાળા મોતિયાના ૧૦૦ જેટલા દર્દીઓને ફેકો પદ્ધતિથી નિશુલ્ક ઓપરેશન કરી આપવામાં આવશે એમ હોસ્પિટલ સંચાલકો દ્વારા જણાવવામાં આવ્યું હતું. વલણ હોસ્પિટલ ખાતે સમયાંતરે નિશુલ્ક સર્વ રોગ નિદાન શિબિર તેમજ નેત્રરોગ નિદાન શિબિરના કાર્યક્રમો આયોજિત થતા હોય છે. જેનો બહોળા પ્રમાણમાં ગરીબ વર્ગના લોકો લાભ લેતા હોય છે. પાલેજ – વલણ માર્ગ પર આવેલી વલણ હોસ્પિટલ પાલેજ, વલણ સહિત આસપાસના ગામોના ગરીબ વર્ગના લોકો માટે આશીર્વાદરૂપ પુરવાર થઈ રહી છે…

યાકુબ પટેલ, કરજણ

Advertisement

Share

Related posts

ભરૂચમાં કોરોનાનાં કેસો સતત વધતા તંત્રની ચિંતા વધી, કોવિડ સ્મશાનમાં અંતિમ ક્રિયાનો આંકડો 504 પર પહોંચ્યો.

ProudOfGujarat

આજે બીજા દિવસે પણ ભરૂચ જિલ્લામાં ધુમ્મસ નું વાતાવરણ શું સૂચવે છે ??

ProudOfGujarat

કરજણ તાલુકામાં સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે કોવિડ ૧૯ રસીકરણનો પ્રારંભ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!