Proud of Gujarat
FeaturedGujaratINDIA

કરજણ તાલુકાના વલણ હોસ્પિટલ ખાતે નિ:શુલ્ક નેત્રરોગ નિદાન શિબિર યોજાઇ

Share

કરજણ તાલુકાના વલણ – પાલેજ માર્ગ પર આવેલી વલણ હોસ્પિટલ ખાતે ટંકારીયા ગામના વતની આદમભાઇ ખુશી હાલ યુ કે તેઓના પરિવાર તેમજ વલણ હોસ્પિટલના સંયુક્ત ઉપક્રમે નિશુલ્ક નેત્રરોગ નિદાન શિબિર યોજાઇ હતી જેમાં મોટી સંખ્યામાં દર્દીઓએ લાભ લીધો હતો. આયોજિત નેત્રરોગ નિદાન શિબિરમાં વલણ હોસ્પિટલમાં ફરજ બજાવતા નિષ્ણાત તબીબ ડૉ. રાજેશ પટેલ, સહિત તબીબી ટીમ દ્વારા તબીબી સેવાઓ પ્રદાન કરાઇ હતી.

આયોજિત નેત્રરોગ નિદાન શિબિરમાં ૩૦૦ ઉપરાંત દર્દીઓએ લાભ લીધો હતો. ૧૦૦ જેટલા જરૂરિયાતવાળા મોતિયાના ૧૦૦ જેટલા દર્દીઓને ફેકો પદ્ધતિથી નિશુલ્ક ઓપરેશન કરી આપવામાં આવશે એમ હોસ્પિટલ સંચાલકો દ્વારા જણાવવામાં આવ્યું હતું. વલણ હોસ્પિટલ ખાતે સમયાંતરે નિશુલ્ક સર્વ રોગ નિદાન શિબિર તેમજ નેત્રરોગ નિદાન શિબિરના કાર્યક્રમો આયોજિત થતા હોય છે. જેનો બહોળા પ્રમાણમાં ગરીબ વર્ગના લોકો લાભ લેતા હોય છે. પાલેજ – વલણ માર્ગ પર આવેલી વલણ હોસ્પિટલ પાલેજ, વલણ સહિત આસપાસના ગામોના ગરીબ વર્ગના લોકો માટે આશીર્વાદરૂપ પુરવાર થઈ રહી છે…

યાકુબ પટેલ, કરજણ

Advertisement

Share

Related posts

પાલેજ હાઈસ્કૂલ ખાતે ફિલિપ્સ કાર્બન બ્લેક લિમિટેડ દ્વારા CSR ગ્રાન્ટ હેઠળ રૂપિયા છ લાખ દસ હજારના વિવિધ સુવિધાના કાર્યો કરાયા

ProudOfGujarat

ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના 72 માં જન્મદિવસની સેવા તેમજ સમર્પણ સહિતના કાર્યકમો થકી ઉજવણી.

ProudOfGujarat

સન ફાર્મા કંપની દ્રારા રાજપીપલાની કોવિડ-૧૯ હોસ્પિટલને રૂા. ૧૮ લાખના ખર્ચે તૈયાર કરાયેલા ઓક્સિજન પ્લાન્ટને ખૂલ્લો મૂકી કાર્યવંતી કરાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!