। ભરૂચ ।
Advertisement
દહેજ પોલીસ સ્ટેશનનો સ્ટાફ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો. તે વેળાં તેમને ચોક્કસ બાતમી મળી હતી કે, દહેજગામની સીમમાં આવેલાં મખનેશ્વર મહાદેવ મંદિરે જવાના રોડ પર લાઈટના થાંભલા નીચે કેટલાંક શખ્સોએ જુગારની મહેફિલ જમાવી છે.જેના પગલે ટીમે સ્થળ પર દરોડો પાડતાં પોલીસનો જોઈ જુગારિયાઓમાં દોડધામ મચી ગઈ હતી.જોકે, પોલીસે તમામ પાંચ જુગારિયાઓને ઝડપી પાડયાં હતાં. પ્રાથમિક પુછપરછમાં તેમના નામ વિષ્ણુ ફતેસંગ પટેલ, કલ્પેશ અર્જુન રાઠોડ, રાહુલ શનુ પઢિયાર, બળવંત શ્રવણ રાઠોડ તથા યોગેશ અરવિંદ રાઠોડ હોવાનું માલુમ પડયું હતુ. બનાવને પગલે ટીમે તેમની અંગઝડતીમાંથી તેમજ દાવ પર લાગેલાં રૂપિયા મળી કુલ ૧૭ હજારથી વધુની રોકડ જપ્ત કરી ટીમે તમામ વિરૂદ્ધ જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની કર્યવાહી હાથ ધરી છે
