Proud of Gujarat
FeaturedGujaratINDIA

વડોદરા જીલ્લાના કરજણ તાલુકાનાં કલ્લા ગામે ૧૬ માર્ચે યોજાનાર કલ્લા શરીફનો ઉર્સ મુલત્વી રખાયો.

Share

વડોદરા જીલ્લાના કરજણ તાલુકાના કલ્લા ગામે યોજાનાર દરગાહ શરીફનો વાર્ષિક ઉર્સ બંધ રાખવામાં આવ્યો છે.તાજેતરમાં કોરોના વાયરસે ઠેરઠેર ભરડો લીધો છે અને ભારતમાં પણ કોરોનાના શંકાસ્પદ કેસ દેખાયા છે.ત્યારે કલ્લા શરીફ ખાતે ૧૬ મી માર્ચે યોજાનાર દરગાહનો વાર્ષિક ઉર્સ જનતાના સ્વાસ્થ્યને ધ્યાનમાં લઇને બંધ રાખવામાં આવ્યો છે.હઝરત સૈયદ વાહેદઅલી બાવાનો ઓડિયો મેસેજ સોશીયલ મિડીયામાં ફરતો થયો હતો.જેમાં કોરોના વાયરસને લઇને અગમચેતીના રૂપે ઉર્સ બંધ રખાયો હોવાનું જણાવાયુ હતું.ઉર્સ ઉપરાંત તેને અનુલક્ષીને થનારા તમામ કાર્યક્રમો મુલત્વી રખાયા હોવાનું જણાવાયું હતું.

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરુચ

Advertisement

Share

Related posts

અંકલેશ્વરની અમરાવતી નદીમાં પ્રદુષિત પાણીના કારણે અસંખ્ય માછલીઓનાં મોત.

ProudOfGujarat

ભરૂચ : અંકલેશ્વરનાં આલુંજ ગામથી લાખોની મત્તાનાં વિદેશી દારૂના જથ્થા સહિત બે આરોપીઓની ધરપકડ કરાઈ.

ProudOfGujarat

રામ મંદિર ભારતમાં નહીં તો શું પાકિસ્તાનમાં બનશે?: ગિરિરાજ સિંહ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!