Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચ : ટંકારીયા ગામે ગરીબોને જીવન જરૂરિયાત ચીજ વસ્તુઓનું વિતરણ કરાયું.

Share

મોહદીશે આઝમ મિશન ટંકારીયા બ્રાન્ચ તરફથી ગામમાં ગરીબ તેમજ મધ્યમ વર્ગીય લોકોને ઘરે જઈ જીવન જરૂરિયાત ચીજ વસ્તુઓનું વિતરણ કાર્યક્રમ ચાલી રહ્યો છે. જેમાં આજ દિન સુધી 200 જેટલી કિટોનું વિતરણ કાર્ય કરી ઉમદા કામગીરી બજાવવામાં આવી રહી છે. ભરૂચ તાલુકામાં આવેલું ટંકારીયા ગામે હજરત સૈયદ હશન અસરફીયુલ ઝીલાનીનાં આદેશને અનુસરી સમગ્ર દેશમાં કોરાનાની વર્તમાન પરિસ્થિતિમાં દેશ લોકડાઉન હોય ગરીબ મધ્યમ વર્ગનાં લોકોને ઘરે ઘરે ફરી કિટોનું વિતરણ કરવાનાં આદેશનું પાલન કર્યું છે. ટંકારીયા ગામે વિધવા બહેનોને ૧૫૦૦ ની કિંમતની ૪૦ કીટ તેમજ અન્ય જેઓ મજૂરીયાત વર્ગ નાનાં ધંધા,રીક્ષા બંધ પડ્યાં છે તેઓને જીવન જરૂરી ચીજોની કિટો આપી હતી.૪ એપ્રિલનાં રોજ ગામના આદિવાસી,હરિજન,રોહિત સમાજનાં ઘરે જઈ ૪૦ કિટોનું વિતરણ ગ્રામ પંચાયત સરપંચ તેમજ રૂસ્ટમ ભાઈ ગોદાર આગેવાનનોની હાજરીમાં વિતરણ કરવામાં આવ્યું હતું.ઉલ્લેખનીય છે કે અત્યાર સુધીમાં ત્રણ લાખ રૂપિયાની કિંમતોની કિટોનું વિતરણ કરી મિશને ઉમદા કામગીરી બજાવી છે.ગામના જરૂરિયાતવાળા ગરીબ લોકોની યાદી બનાવી વધુમાં વધુ કિટો વિતરણ કરવાનો નિર્ધાર કરવામાં આવ્યો છે.

ઇમરાન ઐયુબ મોદી- પાલેજ

Advertisement

Share

Related posts

અંકલેશ્વર નવજીવન હોટલ પાસે અકસ્માત – મોટરસાયકલ અને ઈકો ગાડી વચ્ચે ટક્કર, એકનું મોત, એક ઈજાગ્રસ્ત

ProudOfGujarat

ભરૂચમાં ‘એક્ઝિમ કોન્કલેવ’ યોજાયું : ભરૂચ-દહેજ-અંકલેશ્વરને વૈશ્વિક વેપાર હબ બનાવવા ચર્ચા

ProudOfGujarat

વડાપ્રધાનએ મહિલાઓનું સમાજિક તથા આર્થિક ઉત્કર્ષ થાય તેનો હરહંમેશ ખ્યાલ રાખ્યો છે: ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!