Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ માં કોરોના વાયરસ વધુ બે પોઝિટિવ કેસ સામે આવ્યા અને એક મહિલાનું મોત

Share

સમગ્ર દેશ માં અનલોક-૧ અમલમાં આવવાની સાથે જ દેશભર માં તથા ગુજરાતમાં કોરોના કોવિડ-૧૯ ના પોઝિટિવ દર્દીઓની સંખ્યા માં સતત વધારો નોંધાયો છે અને ગુજરાત ના અનેક જિલ્લાઓ માં પોઝિટિવ કેસ બહાર આવી રહ્યા છે ત્યારે ભરૂચ માં કોરોના વાયરસ ના વધુ બે પોઝિટિવ કેસ નોંધાયો છે જેમાં જંબુસર ખાતે એક તથા ભરૂચ શહેરના મદીના પાર્ક સોસાયટી ના 58 વર્ષીયને કોરોના વાયરસ નો પોઝિટિવ કેસ નોંધાયો છે. આ કેસ સામે આવતા આત્યારે ભરૂચ જિલ્લામાં કોરોના પોઝીટીવ કેસોની સંખ્યા 54 પર પહોંચી છે. ભરૂચ જિલ્લામાં કોરોના ના કારણે વધુ એક મૃત્યુ થયું છે. મદિનાપાર્ક સોસાયટીની કોરોના પોઝીટીવ મહિલા નું મૃત્યુ નિપજયું છે ભરૂચ જિલ્લામાં અત્યાર સુધીમાં કોરોના વાયરસ ના કુલ ચાર દર્દીઓ મૃત્યુ નિપજયા છે.

Advertisement

Share

Related posts

સગીરાના અપહરણના કેસમાં સખ્ત કેદની સજા ફટકારતી નડિયાદની સેશન્સ અદાલત.

ProudOfGujarat

નર્મદા જિલ્લામાં પોકસો કેસમાં આરોપીને આજીવન કેદની સજા : સગીર બાળકીના અપહરણ અને બળાત્કાર કેસમાં અદાલતનો કડક ચુકાદો, ₹80 હજાર દંડ અને ₹2 લાખ વળતર આપવાનો હુકમ

ProudOfGujarat

રાજપીપળા જનરલ હોસ્પિટલમાં એચઆઇવી પીડિતોને બર્ક ફાઉન્ડેશન દ્વારા ન્યુટ્રિશિયન કીટ વિતરણ કરાઇ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!