Proud of Gujarat
FeaturedGujaratINDIA

નાગરિકોને સહાય કરવાના હેતુથી ગુજરાત આત્મનિર્ભર અંતર્ગત પ્રોપર્ટી ટેક્ષમાં માફી : ભરૂચ નગરપાલિકા.

Share

ભરૂચ નગરપાલિકા તરફથી તાજેતરમાં એક પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે. પરિપત્ર મુજબ સચિવાલય ગાંધીનગર તથા શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ દ્વારા રાજયનાં દરેક નાગરિકોને આર્થિક મદદ મળી રહે તે હેતુથી ગુજરાત આત્મનિર્ભર પેકેજ અંતર્ગત પ્રોપર્ટી ટેક્ષમાં માફી અને રાહતો નકકી કરવામાં આવેલ છે. તે મુજબ વાણિજય એકમોને વર્ષ 2020-21 નાં વાર્ષિક પ્રોપર્ટી ટેક્ષ ચૂકવાણમાં 20 % માફી આપવામાં આવશે તથા રહેણાંક એકમોને 10 % ની માફી આપવામાં આવશે. જેમાં સને 2020-21 નાં વર્ષની તમામ રકમ તા.31-8-2020 સુધીમાં જમા કર્યાથી આ યોજનાનો લાભ મળી શકશે. તેમ ભરૂચ નગરપાલિકાનાં કારોબારી અધ્યક્ષ નરેશભાઇ સુથારે જણાવ્યુ હતું.

Advertisement

Share

Related posts

સાંસદ મનસુખભાઇ વસાવાએ જાતિઅંગેના દાખલાઓ જૂની પદ્ધતિએ સહેલાઇથી આપવાનો કરેલો નિર્ણયની તરફેણ કરનારા ત્રણ નેતાઓને આડે હાથે લીધા.

ProudOfGujarat

સરકારની ગ્રાન્ટનો રાજપીપળા હિન્દૂ દેવસ્થાન કમિટી યોગ્ય ઉપયોગ નથી કરતી:બજરંગ દળનો આક્ષેપ.

ProudOfGujarat

ભરૂચ : તાડીયા વિસ્તારમાંથી નદી કિનારે એક યુવક અને યુવતીના મૃતદેહ મળી આવ્યા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!