Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચનાં વડદલા નજીક લકઝરી બસ પલટી ખાતા અફરાતફરીનું વાતાવરણ સર્જાયું.

Share

સુરત નગરમાં કોરોના મહામારી વધુ ફેલાતા સુરતમાં વસતા સૌરાષ્ટ્રનાં રહેવાસીઓએ પોતાના વતનની વાટ પકડી છે ત્યારે સુરતથી સૌરાષ્ટ્ર તરફ જતી એક લકઝરી બસ વડદલા નજીક પલટી ખાઈ ગઈ હતી. આ અંગે વધુ વિગત જોતાં સુરતથી સૌરાષ્ટ્ર અમરેલી વિસ્તાર તરફ જતી એક ખાનગી લકઝરી બસ ભરૂચ નજીક આવેલ રાષ્ટ્રીય ધોરીમાર્ગ વડદલા પાસેથી પસાર થઈ રહી હતી ત્યારે ડ્રાઇવરે અચાનક સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવતાં લકઝરી બસ પલટી ખાઈ ગઈ હતી. બસમાં સવાર 30 થી વધુ લોકોનો આબાદ બચાવ થવા પામ્યો હતો. લકઝરી બસમાં બેઠેલ તમામ મુસાફરોને એમ થયું હતું કે મોટો અકસ્માત થયો છે જેના પગલે મહિલાઓ અને બાળકોએ ચિચિયારી પાડતા અફરાતફરીનું વાતાવરણ સર્જાયું હતું. ચિચિયારી સાંભળતા વડદલા ગામનાં લોકો ઘટનાસ્થળે આવી પહોંચતા લોકોનું ટોળું ભેગું થઇ ગયું હતું. સમગ્ર ઘટનાક્રમના પગલે રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર ટ્રાફિકજામ સર્જાયો હતો. જોકે ટ્રાફિક પોલીસ અસરકારક કામગીરી કરતાં રાબેતા મુજબનો ટ્રાફિક શરૂ થયો હતો.

Advertisement

Share

Related posts

ભરૂચ : આંતરરાષ્ટ્રીય મૂળ નિવાસી સંધ દિવસ અંતર્ગત મૂળ નિવાસી સંધ તેમજ ભિલિસ્તાન ટાઈગર સેના દ્વારા કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું.

ProudOfGujarat

રાજપીપલા : ગરુડેશ્વર તાલુકામાં ભારતીય જનતા પાર્ટી દ્વારા રક્તદાન શિબિર યોજાઈ.

ProudOfGujarat

માંગરોળ તાલુકાના આમખુટા ગામે દીપડાનો ત્રાસ વધવા લાગ્યો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!