Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ જિલ્લામાં આજે કોરોના વાયરસનું અણુ બોમ્બ ફૂટયો હતો એકસાથે 47 જેટલા લોકોનાં કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતાં જિલ્લાનાં લોકોમાં કોરોના વાયરસને લઈને ફફડાટ વ્યાપી ગયો છે.

Share

ભરૂચ જિલ્લામાં અનલોકનાં બીજા તબક્કામાં કોરોનાનું સંક્રમણ રોકેટની ગતિએ થઈ રહ્યું છે દિવસે દિવસે કોરોનાં સંક્રમિત થનારા લોકોની સંખ્યા વધી રહી છે હાલ તો ભરૂચ અને અંકલેશ્વર શહેર તાલુકો કોરોના વાયરસથી સંક્રમિત થનારા લોકોની સંખ્યા વધુ છે હવે તો ગ્રામ્ય વિસ્તારોમાં પણ કોરોના સંક્રમણ વધ્યું છે ત્યારે આજે ભરૂચ જિલ્લાના આઠ તાલુકાઓમાં કોરોના વાયરસથી સંક્રમિત થનારા લોકોની સંખ્યા 47 ઉપર પહોંચી હતી. જેમાં ભરૂચ શહેર તાલુકામાં 15, આમોદ પંથકમાં 2, અંકલેશ્વરમાં 14, જંબુસર પંથકમાં 3, વાગરા પંથકમાં 1, હાંસોટમાં 1,વાલિયા 1, ઝધડીયા 1, નેત્રંગ 9 કોરોના દર્દીઓ નોંધાયા હતા. જિલ્લામાં દિનપ્રતિદિન કોરોના વાયરસથી સંક્રમિત થનારા લોકોની સંખ્યા વધી રહી છે. જિલ્લામાં આજ દિન સુધીમાં આ આંકડો 606 લોકો સુધી પહોંચી ગયો છે. આમ જિલ્લામાં સંક્રમણ થતાં હવે અનેક વિસ્તારોને કન્ટેન્મેન્ટ એરિયા જાહેર કરવાની ફરજ પડી છે. અંકલેશ્વર, ઝઘડિયા, હાંસોટ, વાગરા અને ભરૂચ તાલુકામાં અનેક વેપારીઓ પોતાની દુકાનો બે વાગ્યા સુધીમાં જ બંધ કરવા મજબૂર બન્યા છે. જીલ્લામાં આજે 35 દર્દીઓ સાજા થતાં તેમણે રજા આપવામાં આવી હતી.

Advertisement

Share

Related posts

ચેઇન સ્નેચીંગ ગુનામાં બે ઈસમોને મુદ્દામાલ સાથે ઝડપી પાડતી ભરૂચ સી ડિવિઝન પોલીસ

ProudOfGujarat

રાજપારડીમાં પોલીસ જવાનો માટે રહેણાંકો ક્યારે બનાવાશે ? જગ્યાની ફાળવણી થઇ ગઇ છે,ત્યારે જલ્દીથી પ્રોસેસ પૂર્ણ કરાય તે જરૂરી.

ProudOfGujarat

રોટરી ક્લબ અંકલેશ્વર દ્વારા નેત્રંગ તાલુકાના ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓને એક્ઝામ કીટનું કરાયું વિતરણ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!