Proud of Gujarat
FeaturedGujaratINDIA

આજે અષાઢી અમાસ નિમિત્તે ભરૂચનાં ભોઈ જ્ઞાતિ પંચ દ્વારા મેઘરાજાની પ્રતિમાની સ્થાપના કરાઈ.

Share

ભરૂચની સંસ્કૃતિની ઓળખ એટલે મેધરાજા ભોઈ જ્ઞાતિ દ્વારા ઉજવાતા મેધરાજા અને છડીનોમનો સૈયકાઓ જૂનો ઇતિહાસ છે. છપનિયા દુકાળ સમયે વરસાદની મનોકામનાઓ સાથે મેધરાજાની સ્થાપના કરવામાં આવી હતી જે હજીપણ રિવાજ યથાવત છે. સાથે સાથે મેધરાજા ભરૂચની ઓળખ થઈ ગયા છે ત્યારે હાલ માત્ર પ્રતિમાની સ્થાપના કરાઇ છે. હવેના દિવસોમાં તેમનો શણગાર કરવામાં આવશે. કોરોના મહામારીનાં પગલે મેધરાજાનાં દર્શન અંગે ખાસ નિયમો ભકતજનો માટે ઘડવામાં આવ્યા છે જે મુજબ પ્રતિમાને હાથ લગાડી શકશે નહીં, ભકતોએ સોશિયલ ડિસ્ટન્સ જાળવવું પડશે. જયારે મેધરાજાને બાળકોને ભેટાડવામાં નહીં આવે અને માસ્ક વગર દર્શન કરવા દેવામાં આવશે નહીં.

Advertisement

Share

Related posts

અમદાવાદ: ન્યુ રાણીપમા પાંચ દિવસ પહેલા યુવકને માર મારવાના બનાવમાં સારવાર દરમ્યાન યુવકનુ મોત…

ProudOfGujarat

નર્મદા જિલ્લામાં ૯ માં વિશ્વ યોગ દિવસની ઉજવણી સંદર્ભે કલેક્ટર કચેરી ખાતે પત્રકાર પરિષદ યોજાઈ

ProudOfGujarat

ભરૂચ શહેર માં વસ્તા માછીમારોની રોજી રોટી છીનવાઈ જતા નર્મદા નદી ને જીવંત રાખવા માછીમાર સમાજ સહ પરીવાર સાથે ૧૬ એપ્રીલ ના રોજ મહારેલી યોજી જીલ્લા કલેકટર ને આવેદન પત્ર સુપ્રત કરશે……….

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!