Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : માં દશામાંની મૂર્તિનું વિસર્જન કરવા બાબતે યોગ્ય માર્ગદર્શન આપવા આવેદનપત્ર પાઠવાયું.

Share

માં દશા માતાનું વ્રત પૂર્ણ થવાની આરે છે ત્યારે દશ દિવસની પુજા બાદ માતાનું વિસર્જન નદીમાં કરવામાં આવે છે. ત્યારે આ અંગે યોગ્ય માર્ગદર્શન આપવા શ્રદ્ધાંજલી ગૃપનાં કૃણાલ ચંદુભાઈ પટેલ દ્વારા કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે. આવેદનપત્રમાં જણાવાયું છે કે પી.ઓ.પી. ની મુર્તિનું વિસર્જન આ વખતે નદી તળાવમાં નહીં કરવા દેવાય તેથી દશામાંની મૂર્તિનું વિસર્જન કરવા માટે અલાયદી વ્યવસ્થા ઊભી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. કોરોનાની પરિસ્થિતિમાં દશામાંની પ્રતિમાનું વિસર્જન કઈ રીતે કરવામાં આવે તે અંગેની સંપૂર્ણ વ્યવસ્થા ગોઠવી તેનો બહોળો પ્રચાર કરી વિસર્જન અર્થે વિવિધ સવલતો પૂરી પાડી મદદ થવા વિનંતી કરવામાં આવી છે જેથી કોઇની ધાર્મિક લાગણી દુભાય નહીં. સદર આવેદનપત્રમાં કૃણાલ સી. પટેલ, તેજસભાઈ પટેલ, સંજય પરમાર, પ્રદીપ રાજ, બબુલ સોલંકી, પ્રગ્નેશ પટેલ, રતિલાલ સોલંકી, વિજયભાઈ, ઉત્સવભાઈ ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement

Share

Related posts

માંગરોળ તાલુકાના વાંકલ ખાતે કૃષિમંત્રી આર.સી.ફળદુના અધ્યક્ષસ્થાને સુરત જિલ્લા કક્ષાનો ૭૨ મો વન મહોત્સવ યોજાશે.

ProudOfGujarat

માનવ સ્વાસ્થ્ય ને નુકશાની કરી શકે તેવો સલ્ફર જેવો પીળા કલર નો કેમિકલ પદાર્થ જાહેર માં નિકાલ કરનારા સામે અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે ગુનો નોંધ્યો

ProudOfGujarat

ભરૂચ નગરપાલિકામાં વિપક્ષ નેતા અને દંડકની વરણી કરવામાં આવી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!