Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચ સિવિલ હોસ્પિટલનો સ્ટાફ કોરોના દર્દીઓની યોગ્ય દેખરેખ નહીં રાખતા હોવાની ફરિયાદો ઉઠવા પામી છે.

Share

ભરૂચ સિવિલ હોસ્પિટલ વારંવાર વિવાદમાં ધેરાયેલી રહે છે. તાજેતરમાં સિવિલ હોસ્પિટલ ખાતે ઓક્સિજન નહીં મળવાને કારણે એક દર્દીનાં પરિવારે પટેલ વેલ્ફેર હોસ્પિટલમાં ખસેડવાની કાર્યવાહી કરી હતી. પરંતુ તે દરમિયાન પટેલ વેલ્ફેર હોસ્પિટલ પર પહોંચતા તેમનું મોત નિપજ્યું હોવાની વિગતો સાંપડી રહી છે. ભરૂચ સિવિલ હોસ્પિટલમાં કોરોના પોઝિટિવ દર્દીઓ માટે બનાવેલા કોવિડ રૂમમાં દાખલ કરાયેલા દર્દીઓને પૂરતો ઓક્સિજન આપવામાં આવતો ન હોવાની બૂમો ઉઠવા પામી છે. ભરૂચના એ.એસ.પી.ના સેજલભાઈ દેસાઈને ઘટનાની જાણ થતા તેઓ સિવિલના કોવિડ રૂમની મુલાકાત લીધી હતી

તે દરમિયાન પણ સિવિલ હોસ્પિટલમાં ઓક્સિજન પૂરતો ન હોવાની તેમજ સિવિલ સ્ટાફ દ્વારા દર્દીઓને યોગ્ય દેખરેખ ન કરાતી હોવાની ફરિયાદ ઊભી થઈ હતી.

Advertisement

Share

Related posts

લાલ કિલ્લા ખાતે સ્વતંત્રતા દિવસના સમારોહમાં ભરૂચ અખોડ ગામના સરપંચની પસંદગી

ProudOfGujarat

ભરૂચ માં હિન્દુ ધર્મ ના ગ્રંથોનું ખોટું અર્થઘટન કરી ધાર્મિક શાંતિ ડહોળતા શખ્સની અટકાયત કરતી રૂરલ પોલીસ

ProudOfGujarat

ભરૂચ એલ.સી.બી પોલીસે અંકલેશ્વરની સીને પ્લાઝા ટોકીઝ પાસેથી વિદેશી દારૂના જથ્થા સાથે ભરૂચના બુટલેગરની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી …

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!