Proud of Gujarat
FeaturedGujaratINDIA

માંગરોળ તાલુકાના વાંકલ ખાતે કૃષિમંત્રી આર.સી.ફળદુના અધ્યક્ષસ્થાને સુરત જિલ્લા કક્ષાનો ૭૨ મો વન મહોત્સવ યોજાશે.

Share

રાજ્ય સરકારે પ્રજાજનોના સહકારથી ધરતીને વન-આચ્છાદિત કરી હરિયાળી બનાવવાના સંકલ્પના ભાગરૂપે તા.૧૪/૦૮/૨૦૨૧ ના રોજ સવારે ૯.૧૫ વાગ્યે કૃષિ, ગ્રામ વિકાસ, વાહનવ્યવહાર મંત્રી આર.સી.ફળદુના અધ્યક્ષસ્થાને માંગરોળ તાલુકાના વાંકલ સ્થિત સરકારી સાયન્સ કોલેજ ખાતે સુરત જિલ્લા કક્ષાનો ૭૨ મો વન મહોત્સવ યોજાશે.

સમારોહમાં વનમંડળીઓ અને વિવિધ યોજનાઓના લાભાર્થીઓને લાભોનું વિતરણ કરવામાં આવશે. સાથોસાથ મંત્રી, મહાનુભાવો અને ઉપસ્થિત નગરજનો વલસાડ ખાતે આયોજિત રાજ્ય કક્ષાના વનમહોત્સવની ઉજવણીનું જીવંત પ્રસારણ નિહાળશે.

Advertisement

કોરોના મહામારીની અદ્યતન માર્ગદર્શિકા અનુસાર આયોજિત વન મહોત્સવમાં સાંસદ પ્રભુભાઇ વસાવા, જિલ્લા પંચાયત પ્રમુખ ભાવેશભાઈ પટેલ, જિલ્લા ઘનિષ્ઠ વનીકરણ સમિતિના અધ્યક્ષ અને જિલ્લા કલેકટર આયુષ ઓક, જિલ્લા વિકાસ અધિકારી ડી.એસ.ગઢવી, મુખ્ય વન સંરક્ષક (સુરત વર્તુળ) સી.કે.સોનવણે, સાંસદ પ્રભુભાઇ વસાવા, જિલ્લા વનીકરણ સમિતિના સભ્ય સચિવ અને નાયબ સંરક્ષક (સામાજિક વનીકરણ વિભાગ), સુરત ડી.એન.રબારી, ધારાસભ્યઓ સહિત વનવિભાગના અધિકારીઓ અને નગરજનો ઉપસ્થિત રહેશે.

વિનોદ મૈસૂરિયા : વાંકલ


Share

Related posts

હાંસોટ : આહિર સમાજ દ્વારા બીલીયાઇ માતાજી મુગલાય માતાજી મેલડી માતાજીના મંદિરના 27 માં પાટોત્સવની ઉજવણી કરી.

ProudOfGujarat

નર્મદા જિલ્લાના પ્રભારી સંદીપ માંગરોલાની આગેવાની હેઠળ ગરૂડેશ્વર તાલુકા કોંગ્રેસ સમિતિની કારોબારી બેઠક યોજાઈ.

ProudOfGujarat

અંકલેશ્વરની અમરાવતી નદીમાં વિશ્વ પર્યાવરણના દિવસે અસંખ્ય માછલીઓનું મૃત્યુ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!