ભરૂચ નજીક જંબુસર બાયપાસ ઓવરબ્રિજ પરનો માર્ગ બિસ્માર હાલતમાં થઈ ગયો છે ત્યારે આ અંગે ભારે હોબાળો મચી ગયો હતો. આ અંગે મળતી માહિતી મુજબ ઓવરબ્રિજ પર ઊંડા ખાડા પડી ગયા હતા જેથી લોખંડનાં સળિયાઓ પણ બહાર આવી ગયા હતા. સળિયાઓ બહાર આવવાના પગલે વાહનોને પંકચર થાય તેમજ અકસ્માત સર્જાય તેવી પણ સંભાવના ઊભી થઈ હતી.

ઓવરબ્રિજ પર ઠેરઠેર ઊંડા ખાડા પડેલ હતા જેના પગલે ખૂબ મોટાપાયે ઉગ્ર હોબાળો થતાં તંત્ર દોડતું થયું હતું અને લોકોને શાંત કરી દેવા માટે તદ્દન કામ ચલાઉ ધોરણે કપચી નાંખી ખાડા પુરવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ આમ કરતાં ખાડા પુરાયા ન હતા તેમજ તેના કરતાં વધુ ખરાબ પરિસ્થિતીનું સર્જન થયું હતું. તંત્ર દ્વારા પુરાયેલ કપચી વરસાદનાં પગલે બહાર આવી ગઈ હતી. આ વિસ્તારનાં રહીશોમાં રોષની લાગણી જણાતી હોય અને જલદ આંદોલન કરે તેવી સંભાવના ઊભી થઈ છે.
Advertisement
