Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચ : રસ્તા પર ખાડા પડવાથી વધતાં જતાં અકસ્માતો અંગે પોલીસતંત્રની અનોખી સલાહ જાણો કઈ ?

Share

ભારે વરસાદનાં પગલે અને અન્ય કારણોસર રસ્તા પર ઊંડા ખાડા પડી ગયા છે. જેના પગલે અકસ્માતનાં બનાવો વધી ગયા છે. અકસ્માતનાં બનાવો વધતાં અકસ્માતથી ઇજા અને મોતનાં બનાવો પણ વધી ગયા છે. ત્યારે પોલીસતંત્ર દ્વારા આ અકસ્માત અંગે વિશ્લેષણ કરવામાં આવ્યું છે. વિશ્લેષણમાં એવું તારણ આવેલ છે કે અકસ્માતો મોટરસાઇકલ સવારને વધુ થાય છે. જે અંગેનું મુખ્ય કારણ રસ્તા પર ખાડા હોવાથી મોટરસાઇકલ સવારો પોતાની મોટરસાઇકલ ખાડામાં પડવાથી બચવા અંગે પ્રયાસ કરતાં અકસ્માતનાં બનાવો વધે છે તેથી પોલીસતંત્ર દ્વારા એવી પણ સલાહ આપવામાં આવી છે કે મોટરસાઇકલ સવારોએ હેલ્મેટ પહેરવું જેથી માથાનાં ભાગે થતી ઇજા ન થાય જયારે મોટર કાર સવારોએ સીટ બેલ્ટ બાંધવો જેથી મોટરકારનાં ડ્રાઇવરને ઇજા ન થાય. પોલીસતંત્રની આવી સલાહ સાથે તંત્ર દ્વારા ખાડા પૂરવામાં આવે તે પણ એટલું જ મહત્વનું છે.

Advertisement

Share

Related posts

સિહોરના રાજકોટ રોડ ભગવતી નગર નાકે દુકાન માંથી ચોરી કરનાર કિશન લોક-અપના સળિયા પાછળ ધકેલાયો..

ProudOfGujarat

ભરૂચ મધ્યસ્થ સહકારી બેંકની ચૂંટણી પ્રક્રિયા ખોટી દિશામાં ચાલતી હોવાના પ્રાંત અધિકારી અને ચૂંટણી અધિકારી પર આક્ષેપ : ભરૂચ કલેકટરને આવેદનપત્ર આપીને રજૂઆત…

ProudOfGujarat

સુરત : સાયણ-ઓલપાડ રોડ પર સિટી બસમાં આગ, મુસાફરોનો આબાદ બચાવ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!