Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભૃગુઋષિ બ્રિજ પર ખાડો પડતા ભ્રષ્ટાચારની પોલ ખુલી જાણો વધુ…???

Share

ભરૂચ નજીક શક્તિનાથ અને કોલેજ રોડને જોડતા ભૃગુઋષિ ફ્લાયઓવર બ્રિજ પર ખાડો પડતા આ બ્રિજનું બાંધકામ અંગે ભ્રષ્ટાચાર થયો હોવાની પોલ ખુલ્લી પડી છે. ભગુઋષિ ફ્લાય ઓવરબ્રિજ તૈયાર થતા અને તેના ખાતમુહૂર્ત તેમજ લોકાર્પણ સમય તંત્ર દ્વારા અધિકારી અને પદાધિકારી દ્વારા ફ્લાયઓવર બ્રિજ અંગે ખૂબ મોટી મોટી વાતો કરવામાં આવી હતી. આ બ્રિજ ટકાઉ છે અને આ બ્રિજ લોકોની માંગ તેમજ સમય અને ઇઘણ બચાવ છે એવી ગુલબાંગો હાંકવામાં આવી હતી. પરંતુ ગણતરીના સમયમાં જ આ ફ્લાયઓવર બ્રિજ બિસ્માર હાલતમાં થવા માડ્યો હતો. ઠરે ઠેર સળીયા દેખાવા માંડ્યા હતા. અને હવે ખાડા પડતા આ બ્રિજ પરથી પસાર થતા વાહનચાલકો અને રાહદારીઓને ભારે સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. ગણતરીના સમયમાં બ્રિજની હાલત જોતાં આવાનાર દિવસોમાં આ બ્રિજની કેવી બિસ્માર હાલત થશે તેની કલ્પના કરતાં રૂવાડા ઉભા થઇ જાય તેવી ચર્ચા ચાલી રહી છે.

Advertisement

Share

Related posts

શક્તિનાથ બરોડા ગ્રામિણ બેન્ક પાસે મુકેલી 10 લારીઓ ચોરાઇ : ભઠિયારવાડના બે શખ્સો શંકાના દાયરામાં

ProudOfGujarat

નડિયાદ પોદાર ઇન્ટેરનેશનલ સ્કૂલ દ્વારા ત્રણ દિવસ વોલીબોલ ટુર્નામેન્ટનું આયોજન કરાયું

ProudOfGujarat

નડિયાદ રેલ્વે સ્ટેશન પર બેભાન મુસાફરને રેલ્વે કર્મી એ કૃત્રિમ શ્વાસોચ્છવાસ દ્વારા બચાવ્યો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!