Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભૃગુઋષિ બ્રિજ પર ખાડો પડતા ભ્રષ્ટાચારની પોલ ખુલી જાણો વધુ…???

Share

ભરૂચ નજીક શક્તિનાથ અને કોલેજ રોડને જોડતા ભૃગુઋષિ ફ્લાયઓવર બ્રિજ પર ખાડો પડતા આ બ્રિજનું બાંધકામ અંગે ભ્રષ્ટાચાર થયો હોવાની પોલ ખુલ્લી પડી છે. ભગુઋષિ ફ્લાય ઓવરબ્રિજ તૈયાર થતા અને તેના ખાતમુહૂર્ત તેમજ લોકાર્પણ સમય તંત્ર દ્વારા અધિકારી અને પદાધિકારી દ્વારા ફ્લાયઓવર બ્રિજ અંગે ખૂબ મોટી મોટી વાતો કરવામાં આવી હતી. આ બ્રિજ ટકાઉ છે અને આ બ્રિજ લોકોની માંગ તેમજ સમય અને ઇઘણ બચાવ છે એવી ગુલબાંગો હાંકવામાં આવી હતી. પરંતુ ગણતરીના સમયમાં જ આ ફ્લાયઓવર બ્રિજ બિસ્માર હાલતમાં થવા માડ્યો હતો. ઠરે ઠેર સળીયા દેખાવા માંડ્યા હતા. અને હવે ખાડા પડતા આ બ્રિજ પરથી પસાર થતા વાહનચાલકો અને રાહદારીઓને ભારે સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. ગણતરીના સમયમાં બ્રિજની હાલત જોતાં આવાનાર દિવસોમાં આ બ્રિજની કેવી બિસ્માર હાલત થશે તેની કલ્પના કરતાં રૂવાડા ઉભા થઇ જાય તેવી ચર્ચા ચાલી રહી છે.

Advertisement

Share

Related posts

નેત્રંગમાં કોરોના સંક્રમણની આરોગ્ય વિભાગની તૈયારીની સમીક્ષા રાજ્યનાં સહકાર મંત્રીએ કરી.

ProudOfGujarat

ગીરસોમનાથ-ગાયનેક ડોક્ટર સામે સગર્ભાએ નોંધાવી ફરિયાદ-સગર્ભાએ દુષ્કર્મના પ્રયાસની ફરિયાદ નોંધાવી..

ProudOfGujarat

માંગરોળ : વાંકલ ખાતે સરકારી વિજ્ઞાન કોલેજ ખાતે વન આદિજાતિ મંત્રી ગણપતભાઈ વસાવાનાં હસ્તે NFSA 2536 જેટલાં રેશનકાર્ડનું વિતરણ કરવામાં આવ્યું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!