Proud of Gujarat
FeaturedCrime & scandalGujaratINDIA

ભરૂચ ના કતોપોર દાળાગલી સ્થિત કરિયાણા ની દુકાન અને અન્ય ત્રણ દુકાનોમાં તસ્કરો ત્રાટક્યા.

Share

હાલ દીપાવલી ના પર્વના દિવસો ચાલી રહ્યા છે તયારે તસ્કરો વધુ સક્રિય બની ગયા હોય તેમ દાણાગલી માં ચાર દુકાનોને તસ્કરોએ નિશાન બનાવી હતી. નગરના કતોપોર ચાર રસ્તા પાસે આવેલ દાણાગલી માં તસ્કરોએ ત્રણ કરતા વધુ દુકાનોને નિશાન બનાવી હતી. કરિયાણાની દૂકાનના માલિક મહંમદભાઇ ના જણાવ્યા અનુસાર તસ્કરો કાજુ જેવા સૂકામેવા થી માંડીને તેલ, સાબુ, ચા, મોબાઈલ અને ચાર્જર વગેરે ચોરી ગયા હતા . કુલ લગભગ રૂં 20હજાર કરતા વધુ મતાની ચોરી થઈ હતી .આ સાથે અન્ય બે દુકાનોમાં પણ ચોરી થઈ હોવાનું જાણવા મળી રહ્યું છે. તસ્કરો દ્વારા સૂકા મેવા થી માડી અનાજ કરિયાણા અને સાબુ તેમજ અન્ય ચીજવસ્તુઓની ચોરી કરવામાં આવી હતી . સ્વાભાવિક રીતે તસ્કરો દ્વારા ચોરેલ સામાન લઇ જવા કોઇ વાહન નો ઉપયોગ કરવામાં આવ્યો હોય તેવી સંભાવના છે. વેપારીઓ દ્વારા પોલીસ તત્ર નું સઘન પેટ્રોલિંગ કરાય તેવી માંગ કરવામાં આવી છે. નવાઈની બાબત ઍ છે કે ચોરીના બનાવ અંગે બી ડિવિઝન પોલીસ મથક ખાતે ફરિયાદ નોંધાઈ નથી.

Advertisement

Share

Related posts

રાજપીપળા : તલાટીઓને સોંગદનામાની સત્તા આપતા નર્મદા જિલ્લા બાર એસોસિએશનએ કલેક્ટરને આવેદન આપ્યું.

ProudOfGujarat

સુરત : પીસીઆર વાનમાં ત્રાહિત વ્યક્તિએ ફિલ્મી સોંગ પર ડ્રાઇવિંગ કરી બનાવ્યો વિડીયો, જાણો પછી થયું શું..?

ProudOfGujarat

ભાવનગરના હિલડ્રાઈવ વિસ્તારમાં એસી રીપેરીંગ દરમીયાન કમ્પ્રેસર ફાટતા એકનુ મોત.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!