Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : ટંકારીયામાં વધતા જતા ચોરીઓનાં બનાવો અટકાવવા સ્થાનિક આગેવાનોએ કરી પોલીસમાં રજુઆત, એક બાદ એક અનેક બનાવોએ ગ્રામજનોને મુકયા ચિંતામાં..!!!

Share

ભરૂચ જિલ્લાના ટંકારીયા ગામ ખાતે છેલ્લા કેટલાય દિવસોથી ઉપરા છાપરી એક બાદ એક અનેક ચોરીઓની ઘટનાઓ સામે આવી હતી. ગામમાં વસતા એન.આર.આઈ પરિવારો તેમજ અગ્રણીઓનાં મકાનને તસ્કરોએ નિશાન બનાવી રોકડ સહિતની મત્તાઓ ઉપર હાથફેરો કરી પલાયન થતા લોકોની મુશ્કેલીઓ વધી હતી.

હજારો લોકોની વસ્તી ધરાવતા ટંકારીયા ગામ ખાતે 8 થી 10 જેટલી ચોરીઓના બનાવો જાણે કે તસ્કરોને પોલીસ નો ખૌફ જ ન રહ્યો હોય તે પ્રકારે બન્યા છે, કેટલીક ઘટનાઓ તો સીસીટીવીમાં કેદ થવા પામી છતાં તસ્કરો પોલીસ પકડથી દુર રહેતા લોકોએ આ બનાવો અટકાવવા જવું તો ક્યાં જવું જેવી સ્થિતિ સર્જાઈ હતી.

Advertisement

આજરોજ ટંકારીયા ગામનાં સ્થાનિકો તેમજ સામાજીક અગ્રણી અબ્દુલ કામઠી દ્વારા ભરૂચ એ.એસ.પી ને એક આવેદનપત્ર પાઠવી ગામમાં બનતી ચોરીઓની ઘટનાઓને અટકાવવા પોલીસ પેટ્રોલીંગ સધન બનાવવા તેમજ ચોરીઓને અંજામ આપનાર તસ્કરોને વહેલી તકે ઝડપી પાડવા અંગે રજુઆત કરાઇ હતી, ગ્રામજનોની રજુઆતના આધારે એ.એસ.પી વિકાસ સુંડાએ પોલીસ પેટ્રોલીંગ વધારવા સહિતની બાબતો અંગેનું આશ્વશન આપ્યું હતું..!!!


Share

Related posts

બધાંરણ ના ઘડવૈયા ડો.બાબા સાહેબ આંબેડકર ની ૧૨૭ મી જન્મ જયંતિ નિમિતે શ્રધાંજલી કાર્યક્રમો યોજાયા હતા …જેમાં રાજકીય પક્ષો તથા દલિત સંગઠનો એ સ્ટેશન સ્થિત ડો બાબા સાહેબ આંબેડકર ની પ્રતિમાને ફુલહાર અર્પણ કર્યા હતા …….

ProudOfGujarat

લીંબડી ખાતે કમિશ્નરશ્રી અને સાંસ્ક્રુતિક પ્રવૃત્તિઓ ગાંધીનગર દ્રારા અને જીલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી સુરેન્દ્રનગર દ્વારા સંચાલિત શ્રી સર.જે.હાઈસ્કુલ ખાતે તાલુકાકક્ષાનો કલાકુભં 2025 મહોત્સવ કાર્યક્રમ યોજાયો હતો

ProudOfGujarat

અમદાવાદના 71 વર્ષિય વૃ્દ્ધ 450 કિમી સાઈકલીંગ કરી જૂનાગઢ પહોંચ્યાં, આજે સોમનાથ દાદાના દર્શન કરશે

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!