Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચની વડદલા ખાતે આવેલ એ.પી.એમ.સી. માર્કેટ ભારત બંધનાં એલાનમાં નહીં જોડાઈ….

Share

તા.8/12/2020 નાં મંગળવારે ભારત બંધનું એલાન આપવામાં આવેલ છે પરંતુ ભરૂચની વડદલા ખાતે આવેલ એ.પી.એમ.સી. માર્કેટ એટલે કે ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિનાં વેપારીઓ આ ભારત બંધનાં એલાનમાં નહીં જોડાઈ તેવી જાહેરાત વાગરાનાં ધારાસભ્ય અને એ.પી.એમ.સી. નાં ચેરમેન અરૂણસિંહ રણાએ કરી હતી.

જોકે વાસ્તવમાં એ.પી.એમ.સી. નાં વેપારીઓ કેવું વલણ અપનાવે છે તેની જાણ તો આવતીકાલે થશે તેવી લોકચર્ચા ચાલી રહી છે એટલું જ નહીં પરંતુ ભરૂચ જીલ્લાનાં બજારો ભારત બંધનાં સમર્થનમાં તો કેટલાક બજાર ભારત બંધનાં વિરોધમાં હોવાનું જણાઈ રહ્યું છે તેવી જ રીતે કેટલાક વેપારીઓ દુકાનો ખોલશે નહીં અને બંધને સમર્થ આપશે તો કેટલાક વેપારીઓ દુકાનો ખોલશે એમ જાણવા મળી રહ્યું છે.

Advertisement

Share

Related posts

ગારિયાધારમાં લોકો માટે બનાવેલો જોગર્સ પાર્ક પણ જનતા સુવિધાથી વંચિત.

ProudOfGujarat

ઝઘડીયા તાલુકાના સારસા ગામે છોકરી ભગાડી જવાના મુદ્દે બે પરિવારો બાખડયા.

ProudOfGujarat

ભરૂચમાં ડોર ટુ ડોર કચરા ઉઘરાવવાનું ટ્રેકટર જ કચરો બન્યો, રસ્તા વચ્ચે જ ટાયર નીકળી જતા ટ્રાફિકજામ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!