Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચની સરકારી કચેરીમાં જ સોશ્યલ ડિસ્ટન્સનાં લીરેલીરા….

Share

ભરૂચ જનસેવા કેન્દ્રમાં સોશ્યલ ડિસ્ટન્સના લીરેલીરા ઉડતા દ્રશ્યો સામે આવ્યા છે. કોરોના કાળમાં ફરજિયાત માસ્ક, સોશ્યલ ડિસ્ટન્સ જેવા અનેક નિયમો સરકારી ગાઈડલાઇન અનુસાર પાળવાના હોય છે. સરકાર અને તંત્ર દ્વારા આ નિયમો બનાવવામાં આવ્યા છે પરંતુ સરકારી કચેરીમાં જ સોશ્યલ ડિસ્ટન્સ ન રખાતું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે.

ભરૂચ જનસેવા કેન્દ્રમાં સોશ્યલ ડિસ્ટન્સ નથી જાળવવામાં, આવતું સરકારી તંત્ર દ્વારા સામાન્ય પ્રજાને કોરોનાની ગાઈડલાઇન આપવામાં આવી છે જેનું પાલન સરકારી કચેરીમાં જ જાળવવામાં આવતું ન હોવાની વ્યાપક ફરિયાદો લોકમુખે ચર્ચાઇ રહી છે. કોરોનાનાં કહેર વચ્ચે કામ વગર બહાર ન જવું, ફરજિયાત માસ્ક પહેરવું, સોશ્યલ ડિસ્ટન્સ રાખવું જેવા નિયમો પાળવાનું કહેવાય છે પરંતુ સરકારી કચેરીઓમાં સોશ્યલ ડિસ્ટન્સનું પાલન કેમ થતું નથી ? સરકારી કચેરીઓમાં અવાર-નવાર અહીંનાં આજુબાજુનાં વિસ્તારમાં પણ અરજદારો આવતા હોય છે, કોરોનાની ગાઈડલાઇનનું પાલન ન થાય, સરકારી કચેરીમાંથી જ કોરોના ન વકરે તો સારું ? તેવા પ્રશ્નો પણ અહીં આવતા અરજદારોએ કર્યા હતા. આ અત્યંત નવાઈની વાત છે, સમગ્ર ભરૂચમાં કોરોનાની ગાઈડલાઇનનું પાલન કરવા કલેકટર દવરા લોકોને અપીલ કરવામાં આવે છે પરંતુ જનસેવા કેન્દ્રમાં જ સોશ્યલ ડિસ્ટન્સનાં લીરેલીરા ઉડતા જોવા મળતા ચિંતાનો વિષય બન્યો છે.

Advertisement

Share

Related posts

સુરત કીમથી પગપાળા બિહાર જઈ રહેલા 27 શ્રમિકોને મહારાષ્ટ્ર સરકારે ગુજરાત બોર્ડર ઉપર અટકાવી પરત કરતાં ઉમરપાડાનાં ચોખવાડા ગામનાં સેવાભાવી સરપંચ હરિસિંગ વસાવાએ મદદ કરી.

ProudOfGujarat

ભરૂચના ઓમકાર નાથ હોલ ખાતે વિકાસ દિવસની ઉજવણી કરાઇ.

ProudOfGujarat

અહેમદ પટેલના સુપુત્ર ફૈઝલ પટેલે દિલ્હી ખાતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ સાથે મુલાકાત કરી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!