Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરત કીમથી પગપાળા બિહાર જઈ રહેલા 27 શ્રમિકોને મહારાષ્ટ્ર સરકારે ગુજરાત બોર્ડર ઉપર અટકાવી પરત કરતાં ઉમરપાડાનાં ચોખવાડા ગામનાં સેવાભાવી સરપંચ હરિસિંગ વસાવાએ મદદ કરી.

Share

બિહાર પગપાળા જઈ રહેલા 27 શ્રમિકોને ગુજરાતની બોર્ડર ઉપર મહારાષ્ટ્રનાં પોલીસ તંત્રએ અટકાવતા કફોડી સ્થિતિમાં મુકાયેલા શ્રમિકોને ઉમરપાડા તાલુકાના ચોખવાડા ગામના સેવાભાવી સરપંચ અને તલાટી કમ મંત્રીએ મદદરૂપ બની માનવતા મહેકાવી હતી. સુરતના કીમ નજીક ઔદ્યોગિક એકમોમાં પરપ્રાંતીય હજારો શ્રમિકો કામ કરી રહ્યા છે. ઉપરોકત શ્રમિકોને વતન જવા માટે સરકારી તંત્ર દ્વારા કોઇ વ્યવસ્થા ના કરાતા આ શ્રમિકો પગપાળા ચાલતા જઈ રહ્યા છે. જેમા બે દિવસ પહેલા બિહાર રાજ્યના છપરા જીલ્લા 27 શ્રમિકો કીમથી ઉમરપાડા થઇ મહારાષ્ટ્ર રાજ્યની બોર્ડર ઉપર પહોંચ્યા હતા પરંતુ મહારાષ્ટ્ર રાજ્યમાં તેઓ પ્રવેશ કરે તે પહેલા શ્રમિકોને ગુજરાત બોર્ડર ઉપર અટકાવી દેવામાં આવ્યા હતા. તેઓને આગળ જવાનો કોઇ વિકલ્પ ના મળતા મુશ્કેલીમાં મુકાયા હતા આ સમયે ચોખવાડા ગામના સેવાભાવી સરપંચ હરિસિંગભાઇ વસાવા અને તલાટી કમ મંત્રી નિતેશભાઇ સોલંકી તેમની મદદે આવ્યા હતા. ભુખા તરસ્યા શ્રમિકોને આશરો આપ્યો હતો ત્યારબાદ પોતાના વાહનો મારફત કીમ ખાતે મુકી ગયા હતા અને ટ્રેન મારફત તેઓને પહોંચાડવાની વ્યવસ્થા કરી હતી.

Advertisement

Share

Related posts

નબીપુર ગામમાં ઇદે મિલાદ પર્વ નિમિત્તે વિવિધ વિસ્તારો રંગબેરંગી લાઈટોથી ઝળહળી ઉઠયા.

ProudOfGujarat

ભરૂચના ટંકારીયા ગામમાં એક મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું, ત્રીસ લાખ ઉપરાંતની મતાની ચોરી કરી ફરાર થઇ જતા ચકચાર મચી જવા પામી હતી…

ProudOfGujarat

કેબલ ચોરીના ગુનામાં નાસતા ફરતા આરોપીને ઝડપી પાડતી પેરોલ ફ્લો સ્કોડ ભરૂચ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!