Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : વાલિયા પોલિટેકનિક કોલેજ ખાતે કૃષિ કાયદાને લગતો પરિસંવાદ યોજાયો.

Share

ગુજરાત ખેડૂત સમાજ અને ભરૂચ ખેડૂત સમાજ દ્વારા વાલિયા ખાતે યોજાયેલા એક કાર્યક્રમમાં જાણીતા અર્થશાસ્ત્રી પ્રો. હેમંતકુમાર શાહે કહ્યું હતું કે મોદી સરકાર દ્વારા લાવવામાં આવેલા ત્રણ કૃષિ કાયદા ખેતીને અને ખેડૂતોને ગુલામ બનાવશે.

તેમણે જણાવ્યું હતું કે આ કાયદા ખેડૂતોને લાભ થાય તો પણ તે થોડા સમયગાળા માટે જ હશે અને તે છેતરામણો છે. મોદી સરકાર આ કાયદા ખેડૂતોના લાભ માટે નહિ પણ દેશની અને વિદેશની મોટી કંપનીઓનાં લાભ માટે જ લાવી છે.

આવશ્યક ચીજવસ્તુ ધારામાં જે સુધારો કરવામાં આવ્યો છે તે અનાજ, કઠોળ, તેલ, તેલીબિયાં, બટાકા અને ડુંગળી જેવી ચીજોના ગમે તેટલા સંગ્રહ માટે છૂટ આપે છે. તેનાથી સંગ્રહખોરી વધશે, ભાવ વધશે અને દેશના ૧૩૮ કરોડ ગ્રાહકોને નુકસાન થશે. એપીએમસી બંધ થઈ જાય તેવો કાયદો અને કરારી ખેતી માટેનો જે કાયદો કરવામાં આવ્યો છે તે ખેડૂતોને જો કોઈ કંપની સાથે વિવાદ ઊભો થાય તો તેણે કલેક્ટર પાસે જવાનું. કલેક્ટર જે ચુકાદો આપે તે આખરી ગણાશે એમ આ બંને કાયદા કહે છે. ખેડૂત કોઈ અદાલતમાં જઈ શકે નહિ એમ આ બંને કાયદા જણાવે છે. હેમંતકુમાર શહે જણાવ્યું કે આ બાબત તો નાગરિકના લોકશાહી અધિકાર પર જ ઘા કરે છે. આ તો સરમુખત્યારી છે.

Advertisement

હેમંતકુમાર શાહે કહ્યું કે દુનિયાની ૧૦ કંપનીઓ ખેતપેદાશો અને ખેતી માટે જરૂરી ચીજોના વેપાર પર કબજો ધરાવે છે. તેઓ ભારતમાં આવશે અને ભારતની ખેતી પર ઈજારો ઊભો કરશે. દેશ આ રીતે વધુ આર્થિક રીતે ગુલામ બનશે.

વાલિયા પોલિટેક્નિક કોલેજ ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ખેડૂતો હાજર રહ્યા હતા. હેમંતકુમાર શાહે વધુમાં એમ કહ્યું હતું કે મોટી કંપની સામે એક નાનો ખેડૂત કે બધા ખેડૂતો ભેગા થઈને પણ કેવી રીતે લડી શકશે? મોદી સરકાર ખેડૂતો સાથે નિર્દયી રીતે વર્તી રહી છે એમ જણાવીને હેમંતકુમાર શાહે કહ્યું કે સરકારનું વર્તન તદ્દન લોકશાહી વિરોધી છે. આ કાર્યક્રમમાં સંદીપ માંગરોલા, મહેન્દ્રસિંહ કરમરીયા, બદ્રીભાઈ જોશી, રમેશભાઈ પટેલ સહિત ખેડૂત આગેવાનો ઉપસ્થિત રહી માર્ગદર્શન આપ્યુ હતું.


Share

Related posts

વડોદરા-મતદાર યાદીની હાલમાં ચાલી રહેલી સઘન સંક્ષિપ્ત સુધારણા અંગે શ્રીમતી શાલિની અગ્રવાલે માધ્યમોને આપી જાણકારી

ProudOfGujarat

વડોદરાનું ગૌરવ વધારતી ખુશ્બુ પરમાર : દ્રઢ મનોબળ અને સખત પરિશ્રમ દ્વારા ગુજરાતની યુવતીએ આકાશને આંબવાનું સ્વપ્ન પૂર્ણ કર્યું.

ProudOfGujarat

ગરુડેશ્વર તાલુકાની વિવિધ સરકારી પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતાં કુલ-૧૯૩૨ બાળકોને વિનામુલ્યે સ્ટેચ્યુ ઓફ યુનિટી તથા ન્યુટ્રીશન ચિલ્ડ્રન પાર્કની મુલાકાત લીધી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!