Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરુચનાં ભોલાવમાં કોરોના સામે રક્ષણ મેળવવા સરપંચ દ્વારા અમૃતધારા અર્કનું વિતરણ કરવામાં આવ્યુ.

Share

કોરોનાની બીજી લહેરમાં ઘણા લોકો ભોગ બન્યા છે તે ઉપરાંત ઘણા એવા લોકો છે જેઓ પરિવાર વિહોણા બન્યા છે ત્યારે ભરૂચના ભોલાવ વિસ્તારના સરપંચ દ્વારા એક પહેલ કરવામા આવી છે.

ભોલાવના સરપંચ દ્વારા ગ્રામજનોને કોરના સામે રક્ષણ મળે તે માટે ગૌશાળાના અમૃતધારા અર્કની બોટલોનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવી રહ્યું છે. હાલ કોરોના કાળમાં અનેક લોકોની આર્થિક પરિસ્થિતિ કથળી જવા પામી છે તો કેટલાકે સ્વજનો ગુમાવવાનો વારો આવ્યો છે ત્યારે કોરોના સામે રક્ષણ કઈ રીતે મેળવી શકાય તેની સામે કઈ રીતે બચી શકાય તે માટે ભોલાવ ગ્રામ પંચાયતના સરપંચ યુવરાજ સિંહ પરમાર દ્વારા ભોલાવ ગ્રામ પંચાયત વિસ્તારમાં ગોકુલેશ ગીર ગૌશાળામા બનાવવામાં આવેલ અમૃતધારા અર્કની બોટલોનો વિનામૂલ્યે વિતરણ ઘરે ઘરે ફરી કરવામાં આવ્યું હતું. અત્યાર સુધીમાં તેઓ તરફથી 4500 જેટલા અમૃતધારા અર્ક ઘરે ઘરે જઈને વિતરણ કરવામાં આવ્યું છે અને હજુ બાકી રહેલા વિસ્તારમાં ૧૫ હજારથી વધુ અમૃતધારા અર્કની બોટલો વિતરણ કરવામાં આવશે.

Advertisement

Share

Related posts

વડોદરા ના નેશનલ હાઈવે પાસે આવેલ તરસાલી ખાતે મળી આવી હત્યા કરાયેલ લાશ ..!!

ProudOfGujarat

ભરૂચમાં દહેજ બાયપાસ રોડ પર આવેલ “બિગ બોસ” સ્પામાં ચાલતા દેહ વ્યાપારનો પર્દાફાશ.

ProudOfGujarat

એગ્રીસ્ટેક પ્રોજેક્ટ અંતર્ગત ફાર્મર રજિસ્ટ્રી હેઠળ ખેડૂતોને આધાર આઈડીની જેમ ફાર્મર આઈડી મળશે

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!