Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ-અંકલેશ્વરની સુરવાડી ફાટક પર નવ નિર્માણ ફ્લાય ઓવર બ્રિજનું આવતીકાલે નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલના હસ્તે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી લોકાર્પણ.

Share

અંકલેશ્વર શહેર તેમજ ગડખોલ પાટિયાને જોડતા માર્ગ ઉપર સુરવાડી ફાટક પર નવ નિર્માણ પામેલ બ્રિજનું ઈ લોકાર્પણ ગુરુવારના રોજ કરાશે. નાયબ મુખ્ય મંત્રી નીતિન પટેલ આ બ્રિજ ખુલ્લો મુકશે. અંકલેશ્વર શહેર તરફથી જુના નેશનલ હાઈવે નંબર ૮ ને જોડતા માર્ગ સુધી સુરવાડી રેલ્વે ફાટક ઉપર નવા ફ્લાય ઓવરનું નિર્માણ કરવામાં આવ્યું છે.

વાહનચાલકોને પડતી હાલાકીને ધ્યાનમાં રાખીને આ બ્રિજની માંગ ઉઠતા વર્ષ ૨૦૧૬ લમાં તેને પ્રાથમિક મંજુરી આપવામાં આવી હતી અને ત્યારબાદ ૫ વર્ષે આ બ્રિજનું એક નિર્માણ પૂર્ણ થયું છે જોકે જુના નેશનલ હાઈવે નંબર ૮ ઉપર એક તરફનો ભાગ નિર્માણ કરવાનો બાકી છે.પરંતુ ભરૂચ તરફ જવાનો માર્ગ પૂર્ણ થઇ જતા તેનું ઈ લોકાર્પણ કરી દેવામાં આવશે.

ગુરુવારે સવારે નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલના હસ્તે તેનું વિડીયો કોન્ફરન્સના માધ્યમથી લોકાર્પણ કરવામાં આવશે. ૧૦૪.૮૬ કરોડના ખર્ચે આ બ્રીજ નિર્માણ પામ્યો છે. ત્યારે આ બ્રીજ ખુલ્લો મુકાતા વાહનચાલકોનો સમય હવે ફાટક ઉપર નહિ વેડફાય. ઈ લોકાર્પણ કાર્યક્રમમાં મંત્રી ઈશ્વરસિંહ પટેલ ભરૂચના સસાંસદ મનસુખ વસવા, ધારાસભ્ય દુષ્યંત પટેલ સહિતના આગેવાનો ઉપસ્થિત રહેશે.

Advertisement

Share

Related posts

અમદાવાદમાં મેયરના વોર્ડમાં ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં હોબાળો, રોડ ખોલવા મુદ્દે લોકોએ વિરોધ કર્યો

ProudOfGujarat

એસએમઈ (SME) માટે આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડનું અનોખું ઓનલાઈન બિઝનેસ પ્લેટફોર્મ.

ProudOfGujarat

વડોદરાના બે વિદ્યાર્થીઓએ આયુર્વેદિક, હર્બલ પ્રોડક્ટની કંપની સ્થાપી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!