Proud of Gujarat
INDIAFeaturedGujarat

ભરૂચ : આમોદમાં સસ્તા અનાજની દુકાનેથી ગરીબોને મે માસની ખાંડ ન મળતાં રોષ : ઓનલાઈન કૂપન ન નીકળતાં દુકાનધારકોને બખ્ખાં.

Share

એકબાજુ ગુજરાત સરકાર સંવેદનશીલ સરકાર હોવાની વાતો કરે છે પરંતુ ગરીબ લોકોને સસ્તા અનાજની દુકાનેથી સમયસર ખાંડ નહીં મળી હોવાની બુમો ઉઠી છે તેમજ ઓનલાઈન કુપન પણ ના નીકળતા દુકાનદારો ગરીબોને ખાંડ આપવાની ના પાડી દે છે જેથી ગરીબોમાં રોષ જોવા મળી છે.

આમોદ પંથકમાં મે મહિનામાં સરકાર તરફથી ખાંડની ફાળવણી વિલંબથી કરવામાં આવી હતી છેલ્લી તારીખોમાં ખાંડની ફાળવણી કરી હતી જેથી આમોદ તાલુકાની તેમજ શહેરની દુકાનોમાં મહિનાના છેલ્લા ત્રણ દિવસ 29 થી 31 સુધી ફાળવણી કરી હતી. જેથી મે મહિનાની ખાંડ દુકાનદારોએ લઈને રેશનકાર્ડ ધારકોને આપી નહોતી. જેને કારણે ગરીબોને ખાંડ ના મળવાથી સરકાર પ્રત્યે કડવાશ જોવા મળી હતી. ઉપરાંત કેટલાક દુકાનદારોએ માત્ર તેમના મળતીયાઓને જ બોલાવીને ખાંડ આપી દીધી હતી. જ્યારે બીજા ગરીબ રેશનકાર્ડ ધારકોને મે માસની ખાંડ માટે ધરમધક્કા ખવડાવી રહ્યા છે અને કહી રહ્યા છે કે મે મહિનાની ખાંડની કુપન ઓનલાઈન નીકળતી નથી.

Advertisement

રિધ્ધી પંચાલ, ભરુચ.


Share

Related posts

ગોધરામાં આમ આદમી પાર્ટીએ પેપર લીક કૌભાંડનાં વિરોધમાં કલેકટરને આપ્યું આવેદન.

ProudOfGujarat

નર્મદામાં અંદાજે રૂા.૩૦૩.૩૮ લાખના ખર્ચે ૬૮ જેટલી નવીન પાણી પુરવઠા યોજના મંજૂર

ProudOfGujarat

પ્રાઉડ ઓફ ગુજરાતનાં અહેવાલની અસરથી ગોધરા વાલ્મિકી વાસમાં લટકતા જોખમી વીજવાયરનું MGVCL તંત્ર દ્વારા સમારકામ કરાયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!