Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : મારવાડી ટેકરા પર કચરા બાબતે નગરપાલિકાના સાફ સફાઈ વિભાગના કર્મચારીની દાદાગીરી..!

Share

ભરૂચ જીલ્લામાં કચરા અંગેનો મુદ્દો હમેશા હાઇલાઇટમાં રહેતો હોય છે ક્યારેક કચરાની ગાડી સમયસર નથી આવતી તો ક્યારેક કચરાના ઢગ થઈ જતાં હોય છે પરંતુ તેનો કોઈ યોગ્ય નિકાલ થતો નથી જેને કારણે ગંદકીનું સામ્રાજ્ય વધી જતું હોય છે.

ભરૂચ રોટરી ક્લબ પાછળ આવેલ મારવાડી ટેકરા પર ગરીબ વર્ગના લોકો વસવાટ કરી રહ્યા છે ત્યારે કચરાને લઈને સાફ સફાઈ કર્મચારી દ્વારા ગેરરીતીભર્યું વર્તન કરવાં આવ્યું હતું. આસપાસના રહીશો દ્વારા જણવામાં આવ્યું હતું કે, કચરો રોજબરોજનો એટલો ભેગો થઈ જાય છે કે કોઈ જ ધ્યાન આપી રહ્યું નથી. મોટી મોટી બિલ્ડીંગોને સાફ સુધરી રાખવામા આવે છે પરંતુ ઝૂપડપટ્ટીમા કોઈ જાતની દેખરેખ રાખવામાં આવતી નથી. કચરાનો નિકાલ કરવાવાળા લોકો પણ વ્યવસ્થિત રીતે કામ ન કરતાં હોવાથી આસપાસના રહીશો દ્વારા આક્ષેપો કરવામાં આવ્યા હતા.

ગંદકીનું સામ્રાજ્ય વધી જતાં મચ્છરનો ઉપદ્રવ અને રોગચાળો ફેલાવાનો ભય ઘણો રહતો હોય છે અવારનવાર રજૂઆત બાદ પણ કોઈ કામગીરી હાથ ધરવામાં આવી રહી ન હતી. ઉમેશભાઈ ધોળાવાળાને રહીશો દ્વારા રજૂઆત બાદ તેમના દ્વારા કહેવામા આવ્યું હતું કે કચરો તમે તમારો રોડ પર નાંખી દો જેથી રહીશોએ બધો કચરો રસ્તાઓ પર નાંખી દીધો હતો પરંતુ નગરપાલિકાના કોઈ કર્મચારી દ્વારા સ્થળ પર પહોચીને કામગીરી હાથ ધરવામાં આવી ન હતી જેને પગલે રહીશોમાં આક્રોશનો માહોલ સર્જાયો હતો.

Advertisement

Share

Related posts

વાંકલ : તાઉ-તે વાવાઝોડાના પગલે સુરતમાં થયેલા નુકશાન સંદર્ભે ખેતીવાડી, બાગાયત વિભાગની ૪૧ ટીમોએ પાંચ દિવસમાં જ સર્વેની કામગીરી પૂર્ણ કરી.

ProudOfGujarat

સુરત :ચૂંટણી દરમિયાન કામગીરી કરનાર ટીમ માંગરોલના શિક્ષકોએ પોતાનું મહેનતાણું કોવિડ કેર માટે મંત્રી ગણપતસિંહ વસાવાને જમા કરાવ્યું

ProudOfGujarat

રાજપીપળા : અરવલ્લી દુષ્કર્મ મામલે નર્મદા યુવક કોંગ્રેસ દ્વારા કેન્ડલમાર્ચ યોજાઇ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!