Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ તાલુકાના માંચ ગામે હજરત બાલાપીર રહમતુલ્લાહ અલયહિની દરગાહ શરીફ પર સંદલ શરીફની વિધિ સંપન્ન કરાઇ.

Share

ભરૂચના માંચ ગામ સ્થિત હજરત બાલાપીર રહમતુલ્લાહ અલયહિની દરગાહ શરીફ ખાતે સંદલ શરીફની વિધિ ખુબ ઉત્સાહપૂર્વક સંપન્ન કરાઇ હતી. આ પ્રસંગે દરગાહ શરીફના સંકુલમાં યાસીન શરીફના ખતમ, શીજરા શરીફ તેમજ ફાતેહા ખ્વાનીનો કાર્યક્રમ આયોજકો દ્વારા આયોજિત કરવામાં આવ્યો હતો.

જેમાં મોટી સંખ્યામાં અકીદતમંદોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. ઉપરોક્ત કાર્યક્રમો બાદ સલાતો સલામના પઠન બાદ કાર્યક્રમનું સમાપન કરાયું હતું. સમગ્ર વિશ્વમાં કોરોના મહામારીથી માનવજાત સુરક્ષિત રહે એ માટે વિશેષ દુઆ ગુજારવામાં આવી હતી. અકિદતમંદ ભાઈઓ, બહેનોએ સંદલ શરીફની વિધિમાં હાજરી આપી હતી. હાફીઝ મુજાહિદે ખાસ દુઆ ગુજારી હતી.

યાકુબ પટેલ, ભરૂચ

Advertisement

Share

Related posts

કંપનીની અગાસી માંથી મૃતદેહ મળી આવ્યો જાણો ક્યાં અને ક્યારે…???

ProudOfGujarat

ભરૂચનાં સ્થાનિક દર્દીઓને વેન્ટીલેટર અને ઑક્સીજન બેડ મળી રહે તે માટે સંદીપ માંગરોલાની આરોગ્ય વિભાગને રજૂઆત.

ProudOfGujarat

જંગલ સફારીના સુરક્ષા જવાને રાજકોટના પ્રવાસીને રૂ. ૨ લાખની કિંમતના સોનાના દાગીના ભરેલ પાકીટ પરત કરી દર્શાવી પ્રમાણિકતા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!