Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ તાલુકાના માંચ ગામે હજરત બાલાપીર રહમતુલ્લાહ અલયહિની દરગાહ શરીફ પર સંદલ શરીફની વિધિ સંપન્ન કરાઇ.

Share

ભરૂચના માંચ ગામ સ્થિત હજરત બાલાપીર રહમતુલ્લાહ અલયહિની દરગાહ શરીફ ખાતે સંદલ શરીફની વિધિ ખુબ ઉત્સાહપૂર્વક સંપન્ન કરાઇ હતી. આ પ્રસંગે દરગાહ શરીફના સંકુલમાં યાસીન શરીફના ખતમ, શીજરા શરીફ તેમજ ફાતેહા ખ્વાનીનો કાર્યક્રમ આયોજકો દ્વારા આયોજિત કરવામાં આવ્યો હતો.

જેમાં મોટી સંખ્યામાં અકીદતમંદોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. ઉપરોક્ત કાર્યક્રમો બાદ સલાતો સલામના પઠન બાદ કાર્યક્રમનું સમાપન કરાયું હતું. સમગ્ર વિશ્વમાં કોરોના મહામારીથી માનવજાત સુરક્ષિત રહે એ માટે વિશેષ દુઆ ગુજારવામાં આવી હતી. અકિદતમંદ ભાઈઓ, બહેનોએ સંદલ શરીફની વિધિમાં હાજરી આપી હતી. હાફીઝ મુજાહિદે ખાસ દુઆ ગુજારી હતી.

યાકુબ પટેલ, ભરૂચ

Advertisement

Share

Related posts

ઝઘડીયા તાલુકાના રતનપુર નજીક ખાનગી બસને અકસ્માત થતાં એકનું મોત- અન્ય દસને ઇજા.

ProudOfGujarat

ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી માટે મતદાન શરૂ, PM મોદીએ સૌપ્રથમ આપ્યો પોતાનો મત.

ProudOfGujarat

ભરૂચ માછી સમાજ વેજલપુર માછી પંચ દ્વારા કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!