Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ સોનેરી મહેલ પાણીની ટાંકીમાંથી અપાતો પાણી પુરવઠો એક દિવસ માટે બંધ રહેશે.

Share

ભરૂચ નગરપાલીકાના મુખ્ય અધિકારી સંજય સોની દ્વારા એક અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે કે આવતી કાલે તારીખ ૧૬/૦૯/૨૦૨૧ ના ગુરુવારના રોજ સોનેરી મહેલ પાણીની ટાંકીમાંથી આપવામાં આવતાં પાણીના જથ્થા ઉપર એક દિવસ કાપ મુકવામાં આવ્યો છે, જેથી વિસ્તારના લોકોએ પાણીને સંગ્રહ કરી વાપરવા માટેની અપીલ કરવામાં આવી છે.

સોનેરી મહેલ અંદર ગ્રાઉન્ડ સંપ અને પાણીની ટાંકીની સાફ સફાઈ કરવાની હોવાથી રાબેતા મુજબ આપવામાં આવતા જથ્થા ઉપર એક દિવસ માટે કાપ મુકવાનો નિર્ણય પાલીકા દ્વારા લેવામાં આવ્યો છે અને તારીખ ૧૭/૦૯/૨૦૨૧ થી આ જથ્થો રાબેતા મુજબ શહેરીજનોને આપવામાં આવશે તેમ જણાવવામાં આવ્યું છે, જેની સોનેરી મહેલ પાણીની ટાંકી થકી વપરાશમાં લેતા વિસ્તારના લોકોએ નોંધ લેવા માટે જણાવવામાં આવ્યું છે.

Advertisement

Share

Related posts

ગોધરા:-RTE – 2009 અંતર્ગત પ્રવેશ પ્રક્રિયામાં ક્ષતિપૂર્તિનો સમય અવધિ વધારવા AAP પાર્ટીની માંગ

ProudOfGujarat

મુંબઈ : ચેમ્બૂરની કોલેજે બુરખો પહેરીને આવવા પર લગાવ્યો પ્રતિબંધ, વિરોધ બાદ લાગુ કરી શરત

ProudOfGujarat

રાજપીપળાના બે ઈસમો તાંત્રિક વિધિથી એકના ડબલ રૂપિયા કરવાના ચક્કરમાં ફસાયા:જાણો કોણ છે એ બે ઈસમો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!