Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ સોનેરી મહેલ પાણીની ટાંકીમાંથી અપાતો પાણી પુરવઠો એક દિવસ માટે બંધ રહેશે.

Share

ભરૂચ નગરપાલીકાના મુખ્ય અધિકારી સંજય સોની દ્વારા એક અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે કે આવતી કાલે તારીખ ૧૬/૦૯/૨૦૨૧ ના ગુરુવારના રોજ સોનેરી મહેલ પાણીની ટાંકીમાંથી આપવામાં આવતાં પાણીના જથ્થા ઉપર એક દિવસ કાપ મુકવામાં આવ્યો છે, જેથી વિસ્તારના લોકોએ પાણીને સંગ્રહ કરી વાપરવા માટેની અપીલ કરવામાં આવી છે.

સોનેરી મહેલ અંદર ગ્રાઉન્ડ સંપ અને પાણીની ટાંકીની સાફ સફાઈ કરવાની હોવાથી રાબેતા મુજબ આપવામાં આવતા જથ્થા ઉપર એક દિવસ માટે કાપ મુકવાનો નિર્ણય પાલીકા દ્વારા લેવામાં આવ્યો છે અને તારીખ ૧૭/૦૯/૨૦૨૧ થી આ જથ્થો રાબેતા મુજબ શહેરીજનોને આપવામાં આવશે તેમ જણાવવામાં આવ્યું છે, જેની સોનેરી મહેલ પાણીની ટાંકી થકી વપરાશમાં લેતા વિસ્તારના લોકોએ નોંધ લેવા માટે જણાવવામાં આવ્યું છે.

Advertisement

Share

Related posts

દેશના મહત્વાકાંક્ષી જિલ્લા તરીકે ઘોષિત કરાયેલા ૧૧૫ જિલ્લામાં ગુજરાતનાં નર્મદા અને દાહોદ જિલ્લાનો સમાવેશ

ProudOfGujarat

ગોધરા: તાલુકાના શિક્ષકોને સમયસર પગાર આપવાની માંગ કરતા દંડક અરવિંદભાઈ પરમાર

ProudOfGujarat

નડિયાદના વ્યક્તિનું બ્રેઇન સ્ટ્રોકના હૂમલાથી અવસાન પણ તેમના અંગદાનથી 5 લોકોને નવુ જીવન મળ્યું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!