Proud of Gujarat
FeaturedGujaratINDIA

વાલીયા એપીએમસીના વા.ચેરમેનએ ફ્રુટ વિતરણ કરી જન્મદિવસ ઉજવ્યો.

Share

નેત્રંગ તાલુકાના આગેવાન હાર્દીકસિંહ વાંસદીયાને રાજકીય-સહકારી નેતાગીરી વારસામાં મળી છે. મુળ કેલ્વીકુવા ગામના ધીરજસિંહ હરીબાવા વાંસદીયા કેલ્વીકુવા ગ્રા.પંચાયતના સરપંચથી લઇને ભરૂચ ડિસ્ટ્રીક્ટ કો.બેન્કના વા.ચેરમેન રહ્યા હતા. તેમના પુત્ર સુરેન્દ્રસિંહ ધીરજસિંહ વાંસદીયા શૈક્ષણિક સંસ્થાઓ અને વાલીયા એપીએમસીના બે ટર્મ માટે બિનહરીફ પ્રમુખ તરીકે ચુંટાઈ આવ્યા હતા. નેત્રંગ તાલુકામાં ભાજપને બેઠી કરવામાં અને બાહોશ નેતાગીરી માટે આજે પણ લોકો તેમને યાદ કરે છે.

પોતાના દાદા અને પિતાની રાજકીય- સહકારી નેતાગીરીનો મળેલા વારસો આજે હાદિઁકસિંહ વાંસદીયા સંભાળી રહ્યા છે. નેત્રંગ તાલુકા ભાજપના મહામંત્રી અને વાલીયા એપીએમસીના વા.ચેરમેન તરીકે ગરીબ ખેડુતના પ્રશ્રો અને ગરીબ જરૂરિયાતમંદ લોકો મદદરૂપ થવા માટે અગ્રેસર ભૂમિકા સંભાળે છે. તેમનો જન્મદિવસ હોવાથી વાલીયા એમસીએમના વા.ચેરમેન સંદિપ માંગરોલાએ નેત્રંગ તાલુકા મથકે આવેલ સામુહિક આરોગ્ય કેન્દ્રમાં સારવાર લઇ રહેલા દદીઁઓને ફ્રુટ વિતરણ કરીને હાર્દીકસિંહ વાંસદીયાના જન્મદિવસની ઉજવણી કરી હતી. જેમાં સંદિપ માંગરોલા, શેરખાન પઠાણ, રાયસિંગ વસાવા, નેત્રંગ મામલદાર એલ.આર ચૌધરી, કિરણ ચાવડા, ભાવેશ વાંસદીયા અને દિવ્યાંગ મિસ્ત્રી સહિત આગેવાનો જોડાયા હતા.

Advertisement

Share

Related posts

આજે ચંદ્રયાન-3 સોફ્ટ લેન્ડિંગ કરી રચશે ઈતિહાસ! આ રીતે લાઈવ જોઈ શકશો

ProudOfGujarat

આ વર્ષે જૂનાગઢની લીલી પરિક્રમા યોજાશે ? જાણો વધુ…???

ProudOfGujarat

તરોપા રાજપીપળા વચ્ચે કુંવરપરા નજીકની રેલ્વે ફાટક રિપેરિંગ માટે બે દિવસ બંધ રહેશે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!