Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચની વડદલા આઇ.ટી.આઇ ખાતે નેશનલ એપ્રેન્ટીસ ભરતી મેળો યોજાયો.

Share

ભરૂચની વડદલા આઇ.ટી.આઇ ખાતે ભરૂચના ધારાસભ્ય અને નાયબ મુખ્ય દંડક દુષ્યંતભાઇ પટેલના અધ્યક્ષસ્થાને નેશનલ એપ્રેન્ટીસ ભરતી મેળો યોજાયો હતો. આ ભરતી મેળામાં ૧૩ જેટલા જુદા જુદા ક્ષેત્રના નોકરીદાતાઓ ઉપસ્થિત રહયા હતા. એપ્રેન્ટીસ ભરતીમેળામાં ઉપસ્થિત ૧૯૪ માંથી ૧૧૭ જેટલા ઉમેદવારોને એપ્રેન્ટીસ તરીકે પસંદગી આવી હતી.

આ વેળાએ નાયબ મુખ્ય દંડક દુષ્યંતભાઇ પટેલે જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં યુવાનોને રોજગારીની તકો પુરી પાડવા સ્કીલ ડેવલોપમેન્ટ ઉપર ભાર મૂકવામાં આવ્યો છે. તેમણે કહયું કે રાજય સરકારે પણ મુખ્યમંત્રી એપ્રેન્ટીસ યોજના હેઠળ જુદા જુદા એકમોમાં રોજગારીની તકો ઉભી કરી છે. તેમણે મુખ્યમંત્રી એપ્રેન્ટીસ યોજના અંગે વિસ્તૃત માહિતી આપવા સાથે યુવાનોને તાલીમ થકી મેળવેલા કૌશલ્યનો ઉપયોગ કરી ઉજજવળ કારકિર્દી માટે શુભેચ્છાઓ પાઠવી હતી. ઔધોગિક હબ ગણાતા ભરૂચ જિલ્લાના ઉધોગોના પ્રતિનિધિઓને પોતાના સીએસઆર ફંડમાંથી આઇટીઆઇના વિકાસ માટે સહયોગ આપે તેવો અનુરોધ કર્યો હતો.

આ પ્રસંગે આઇ.ટી.આઇના આચાર્ય પ્રકાશભાઇ એચ.બોરીચા દ્વારા પ્રાસંગિક ઉદબોધન કરી એપ્રેન્ટીસ ભરતી મેળાની માહિતી આપી હતી.

Advertisement

Share

Related posts

ભરૂચનાં સાંસદ મનસુખ વસાવાએ સિવિલ હોસ્પિટલની લીધેલ આકસ્મિક મુલાકાત જાણો શું કહ્યું ?

ProudOfGujarat

ગોધરા નગરપાલિકા દ્વારા નવીન સેનેટાઇઝ મશીનનું પરીક્ષણ, હવે વિવિધ વિસ્તારો સેનેટાઇઝની કામગીરી ઝડપથી થશે.

ProudOfGujarat

સુરત : આરોગ્ય રાજ્યમંત્રી કિશોરભાઈ કાનાણીએ પીપીઈ કીટ પહેરી સિવિલનાં કોવિડ વોર્ડમાં પ્રત્યેક દર્દી પાસે જઈ તેમની તબિયત અંગે પૃચ્છા કરી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!