Proud of Gujarat
GujaratFeaturedINDIA

હાંસોટના ખરચ ગામમાં જોધલપીર મંદિરનો આગિયારમો સાલગીરી મોહત્સવ યોજાયો.

Share

હાંસોટના ખરચ ગામ ખાતે જોધલપીર મંદિરનો આગિયારમો સાલગીરી મોહત્સવ ભીખુબાપુ ખરચના સાનિધ્યમાં ઉજવવામાં આવ્યો. જેમાં મહંત ગોરધનદાસબાપુ, મહંત શંભુનાથ બાપુ, ભીલપુરના સંત લાલજીદાસ બાપુ તેમજ જોધલપીર પરિવારના સંતો ઉપસ્થિત રહ્યા હતા. તેમજ સાંજે લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું તેમજ મહાપ્રસાદીનું આયોજન સામાજિક કાર્યકર જસવંતભાઈ પરમાર અને ખરચના સરપંચ લક્ષ્મીબેન તરફથી કરવામાં આવ્યું હતું. આજુબાજુના ગામોના ભાવિક ભક્તોએ પુજાનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી. તેમજ સાંજના 7:00 કલાકે ઇન્ડીયન રેડક્રોસ સોસાયટી, રેડક્રોસ બ્લડ બેન્ક રાજપીપળાના સહયોગથી ડૉ.જાદવ સાહેબ અને એમની ટીમ દ્વારા 34 બોટલ બ્લડ ભેગુ કરવામાં આવ્યું હતું. મહંત ગોરધનદાસબાપુ દ્વારા આશીર્વચન આપ્યા હતા.

Advertisement

Share

Related posts

ઉમરપાડા ખાતે કોંગ્રેસ સમિતિ દ્વારા મોંઘવારીનો વિરોધ ધરણા સાથે મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું.

ProudOfGujarat

ભરૂચના શુકલતીર્થ ખાતે ભરાતા પૌરાણિક મેળાની તૈયારીઓને અપાયો આખરી ઓપ, મેળા માટેની કામગીરી પુરજોશમાં.

ProudOfGujarat

ભરૂચ જિલ્લામાં સાર્વત્રિક વરસાદી માહોલ, અંકલેશ્વર સુરત સ્ટેટ હાઇવે પર પાણી ફરી વળ્યાં.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!