Proud of Gujarat
GujaratFeaturedINDIA

અંકલેશ્વરના બાકરોલ ગામમાં પાંચ વર્ષનો કદાવર દીપડો પાંજરે પુરાયો.

Share

અંકલેશ્વરના બાકરોલ ગામમાં અવારનવાર દીપડો ફરતો રહે છે જેનાથી બાકરોલના રહેવાસીઓમાં ફફડાટ વ્યાપી ગયો હોય ગ્રામજનોએ દીપડાની જાણ ફોરેસ્ટ વિભાગને કરવામાં આવતા ફોરેસ્ટ વિભાગે દિપડાને પાંજરે પુરવા માટે કવાયત હાથ ધરેલ હોય. વનવિભાગની આ કામગીરીમાં તેના મારણ સાથે પાંજરા ગોઠવવામાં આવ્યા હતા. ગતરાત્રીના વન વિભાગની ટીમ દ્વારા ગોઠવાયેલા પાંજરામાં પાંચ વર્ષનો કદાવર દીપડો પુરાઈ જતા બાકરોલના ગ્રામજનોએ રાહતનો દમ લીધો હતો.

અત્રે નોંધનીય છે કે અંકલેશ્વરના વિવિધ વિસ્તારોમાં વન્ય પ્રાણીઓ કે દીપડો આમતેમ ફરતા રહે છે. દીપડાના ત્રાસ અને ડરને કારણે લોકોનું ઘરની બહાર નીકળવું મુશ્કેલ બન્યું છે ત્યારે વનવિભાગે પાંજરા મૂકતા દીપડો પાંજરે પુરાતા લોકોએ હાશકારો અનુભવ્યો હતો.

Advertisement

Share

Related posts

અંકલેશ્વર ગડખોલ પાટિયા પાસે ૪૦ વર્ષીય યુવકે ટ્રેન સામે આવી આપઘાત કરતા ચકચાર…

ProudOfGujarat

અમદાવાદમાં ઉત્તરપ્રદેશથી હથિયારો લાવી સૌરાષ્ટ્રમાં વેચવા જતાં બે ઈસમોને ક્રાઈમ બ્રાંચે ઝડપી પાડ્યા

ProudOfGujarat

અંકલેશ્વર નજીક NH 48 પર 5 કિમી લાંબો ટ્રાફિકજામ બિસ્માર માર્ગ અને સાંકડો આમલાખાડી બ્રિજ મુખ્ય કારણ મુસાફરો પરેશાન

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!