Proud of Gujarat
FeaturedGujaratINDIA

અખિલ ભારતીય આહીર સમાજ દ્વારા દ્વારકામાં ધ્વજા આરોહણમાં ઉપસ્થિત રહેવાં સુરત, ભરૂચ, અંકલેશ્વરથી કારચાલકો રવાના થયા.

Share

જગત મંદિર દ્વારકા ખાતે યોજાનાર ધ્વજા આરોહનમાં સાક્ષી થવા સુરત, ભરૂચ, અંકલેશ્વર સહિતના લગભગ 400 થી વધુ કાર ચાલકો દ્વારકા જવા રવાના થયા હતાં.

તારીખ 24 ના રોજ જગત મંદિર દ્વારકા ખાતે અખિલ ભારતીય આહીર સમાજ દ્વારા જગતમંદિર ખાતે ધ્વજાઆરોહણનો કાર્યક્રમ રાખેલ છે જેમા વિવિધ કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે જેના પગલે સુરત, ભરૂચ અને અંકલેશ્વર સહિતથી મોટી સંખ્યામાં આહીર સમાજના લોકો દ્વારકા જવા રવાના થયા હતા જેમાં સુરત, અંકલેશ્વર, ભરૂચ સહિત 400 થી વધુ કારો આજે ભરૂચના અંકલેશ્વર ખાતે આવેલ વાલિયા ચોકડીથી સનાતન ધર્મના ગાદીપતી સોમદાસ બાપુ દ્વારા કાર ચાલકોને લીલીઝંડી બતાવી કાર ચાલકોને પ્રસ્થાન કર્યા હતા જે દ્વારકા જવા રવાના થયા હતા.

દ્વારકામાં તા. 24 મી એ વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામા આવ્યુ છે. આ કાર્યક્રમમાં ભાજપના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી.આર પાટીલ ખાસ ઉપસ્થિત રહેશે જેમનું પણ સન્માન થનાર હોય આ કાર્યક્રમમાં ખૂબ જ મોટી સંખ્યામાં સમગ્ર ગુજરાતભરમાંથી આહિર સમાજના લોકો ઉપસ્થિત રહેનાર હોય આવતીકાલે સમગ્ર જગત મંદિર જય શ્રી કૃષ્ણના નાદથી ગુંજી ઉઠશે.

આ કાર્યક્રમમાં સમગ્ર ગુજરાતભરમાંથી લગભગ 5 થી 6 હજાર કારચાલકો દ્વારકા પહોંચશે એમ જાણવા મળેલ છે એમ કહી શકાય કે સમસ્ત આહીર સમાજ દ્વારા ખૂબ મોટા અને મહત્વના ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

Advertisement

Share

Related posts

વડોદરા : સિલોક્ષ કંપની એ સૈનિકો માટે કલેકટર કચેરી દ્વારા ફાળો આપ્યો.

ProudOfGujarat

રાજપીપળા ચોકડી પાસેથી લોખંડના ભંગાર સાથે બોલેરો પીકપગાડીને ઝડપી પાડતી અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ

ProudOfGujarat

રશિયા – યુક્રેન વચ્ચે તંગદિલી સર્જાતા જામનગરના ત્રણ વિદ્યાર્થીઓ યુક્રેનમાં ફસાયા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!