Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ તાલુકાનાં નંદેલાવ ખાતે ફૈઝ યંગ સર્કલ દ્વારા રકતદાન શિબિર યોજાઇ.

Share

ભરૂચના નંદેલાવ સ્થિત ગરીબ નવાઝ સોસાયટી પાસે રકતદાન શિબિર યોજાઇ હતી. આયોજિત રકતદાન શિબિરમાં રક્તદાતાઓએ રકતદાન કરી સમાજને એક અનુપમ સંદેશ આપ્યો હતો. રક્ત એ એક એવી અમુલ્ય વસ્તુ છે કે જે કોઇ અક્સ્માત અથવા અન્ય કોઇ આકસ્મિક ઘટના સમયે ખુબ જરૂરી બની જાય છે. અમુક સમયે રક્ત ન મળવાને કારણે માનવી મોતના મુખમાં ધકેલાઈ જાય છે.

ત્યારે આકસ્મિક ઘટનાઓમાં રકતની ઉણપ ન સર્જાય એ માટે સમયાંતરે રકતદાન શિબિર આયોજિત થતી હોય છે. ત્યારે એક શુભાશય સાથે રવિવારના રોજ ફૈઝ યંગ સર્કલ, ભરૂચ દ્વારા નંદેલાવ ખાતે રકતદાન શિબિર કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો. જેમાં ૩૫ જેટલા રક્તદાતાઓએ રકતદાન કર્યું હતુ. સમગ્ર કાર્યક્રમ સૈયદ વાહીદ અલી બાવા સાહેબની હાજરીમાં સંપન્ન કરાયો હતો. આયોજિત રકતદાન શિબિરમાં ડૉ. જે. જે. ખીલવાની, સ્નેહા રાવલે રક્તદાતાઓ પાસેથી રક્ત મેળવ્યું હતું. સમગ્ર કાર્યક્રમને આગેવાનો મહેબૂબ ભાઈ ગરાસિયા, સલીમ ભાઈ રાઠોડ, શકીલ ભાઈ કુરેશી તેમજ ફૈઝ યંગ સર્કલનાં યુવાનોએ ખુબ સારી જહેમત ઉઠાવી સફળ બનાવ્યો હતો.

યાકુબ પટેલ, પાલેજ

Advertisement

Share

Related posts

ઝઘડિયા તાલુકા શિક્ષક સંઘ ક્રિકેટ ટુર્નામેન્ટની પ્રથમ સિઝનમાં ઉમલ્લા ટીમનો વિજય

ProudOfGujarat

વાલિયાના બૂટલેગર પાસેથી દારૂ લાવી વેચતો ભરૂચના વેજલપૂરનો બૂટલેગર ઝબ્બે

ProudOfGujarat

મ્યુકરમાઈકોસીસનાં ઈન્જેક્શન હવે દરેક જિલ્લાની સરકારી હોસ્પિટલોમાં મળશે : આરોગ્ય વિભાગ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!