Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : ‘કરૂણા અભિયાન-૨૦૨૨’ અંતર્ગત વિશિષ્ટ કામગીરી કરનાર સેવાભાવી સંસ્થાઓનું રાજ્યમંત્રી ગજેન્દ્રસિંહ પરમારના હસ્તે સન્માન.

Share

ભરૂચમાં જિલ્લા કક્ષાના ૭૩ માં પ્રજાસત્તાક દિવસ નિમિત્તે રાજ્યક્ષાના મંત્રી ગજેન્દ્રસિંહ પરમારના હસ્તે કર્મયોગીઓ અને કરૂણા અભિયાન-૨૦૨૨ અંતર્ગત વિશિષ્ટ કામગીરી કરનાર વ્યક્તિ/સંસ્થાઓનું સન્માન કરવામાં આવ્યું હતું. જેમાં ધાયલ પક્ષીઓને રેસ્ક્યુ કરવા અને સાર-સંભાળની કામગીરી કરવા બદલ, બર્ડ રેસ્ક્યુ ટીમ ભરૂચના આકાશભાઈ પટેલ, મન મૈત્રી સેવા ફાઉન્ડેશનના શ્રી જયેશભાઈ પરીખ, સાર્થક ફાઉન્ડેશનના હેતલ શાહ, વોલેંટીયર સંજયભાઈ પટેલ(અંદાડા) તેમજ કરૂણા અભિયાનને લગતી પત્રિકા છપાવી ઘરે ઘરે ફરી ચાઈનીઝ દોરા ન વાપરવા પ્રચાર પ્રસાર કરેલ, ઉત્તરાયણના તહેવાર બાદ તાર ઉપર લટકતાં દોરા પતંગ સલામત રીતે ઉતારી વન વિભાગને જમા કરાવેલ તેઓની આ ઉત્કૃષ્ટ કામગીરી બદલ પ્રાથમિક શાળા વાગલખોડના મુખ્ય શિક્ષક કાલિદાસ ઝવેરભાઈ રોહિતનું પ્રમાણપત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતું.

Advertisement

Share

Related posts

ભરૂચ : કસક ગરનાળાનો ઝાડેશ્વર તરફથી સ્ટેશનનો રસ્તો બંધ કરી દેવાતા વાહનચાલકોને હાલાકી.

ProudOfGujarat

માંગરોળ : ઉભારીયા ગામે રાત્રી રોકાણ કરતી એસ.ટી બસ ખખડધજ હાલતમાં હોવાથી મુસાફરો પરેશાન.

ProudOfGujarat

ભરૂચ હાઇવે પર અજાણ્યા કારની ટક્કરે બાઇક સવાર બે પૈકી એકનું મોત, એક ગંભીર

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!