Proud of Gujarat
INDIAFeaturedGujarat

કોસંબા APMC ખાતે શાકભાજી માર્કેટ શરૂ કરાશે.

Share

કોસંબા APMC ખાતે દર શનિવારે ભરાતું બજાર થોડા સમય પહેલા બંધ કરવામાં આવ્યુ હતું પરંતુ નાના ખેડૂતો અને નગરજનોની માંગને ધ્યાને રાખી દર શનિવારે શાકભાજી માર્કેટ શરૂ કરવામાં આવશે.

     આ બાબતે APMC કોસંબાના સંચાલકો પાસેથી જાણવા મળેલી માહિતી મુજબ શનિવારી બજારમાં તાલુકાના તથા આજુબાજુના  તાલુકાનાં નાના આદિવાસી ખેડૂતો અને નાના વેપારીઓ શાકભાજી વેચાણ અર્થે આવે છે. તેમજ કોસંબા તરસાડી તથા આજુબાજુના ગામના ગ્રામજનો ખરીદી કરવા આવે છે. આ તમામ પ્રજાજનો તથા ખેડૂતોની માંગને ધ્યાને રાખી તા. ૨૯/૦૧/૨૦૨૨ થી દર શનિવારે શાકભાજી માર્કેટ શરૂ કરવામાં આવશે. જેમાં ફક્ત ફળ અને શાકભાજીનું જ વેચાણ થશે અને કોરોના મહામારીમાં સરકારની તમામ ગાઈડલાઇનનું ચુસ્ત પણે પાલન કરવામાં આવશે તેમ APMC કોસંબાના ચેરમેન  દિલીપસિંહ રાઠોડ દ્રારા જણાવેલ છે. 

Advertisement

વિનોદ મૈસૂરિયા : વાંકલ


Share

Related posts

હાંસોટમાં વધતાં એનીમિયાના પ્રમાણને અટકાવવા કાકા-બા હોસ્પિટલ અને પ્રોજેક્ટ સાહસ દ્વારા લેવાતા મજબૂતીના પગલાં.

ProudOfGujarat

વડોદરાના જુના પાદરા રોડની સોસાયટીમાં વૈભવી બંગલામાં ચાલતું કુટણખાનું ઝડપાયું

ProudOfGujarat

પંચમહાલ કલેક્ટર સુજલ મયાત્રાએ ડિસ્ટ્રીકટ ક્રેડિટ પ્લાનનું વિમોચન કર્યું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!