Proud of Gujarat
bharuchFeaturedGujaratINDIA

અંકલેશ્વર ગાર્ડન સિટી સ્થિત ઇસ્કોન મંદિર ખાતે પ્રવચન યોજાયું…

Share

અંકલેશ્વર ગાર્ડન સિટી સ્થિત ઇસ્કોન મંદિર ખાતે પ્રવચન યોજાયું…

=> વ્રજ નંદગાવના મહંત પૂજ્ય કૃષ્ણ મોરારી ગોસ્વામીના પ્રવચનથી ભક્તો મંત્રમુગ્ધ બન્યા…

Advertisement

અંકલેશ્વર ખાતે આવેલી ગાર્ડન સિટીના ઇસ્કોન મંદિર ખાતે બુધવારની રાત્રે વ્રજધામ નંદગાંવના ઇસ્કોન મંદિરના મહંત દ્વારા સુંદર આખ્યાનનું આયોજન કરવામાં આવ્યું હતું.

વ્રજધામ નંદગાવના મહંત કૃષ્ણમુરારી ગોસ્વામીજી દ્વારા યોજાયેલા આ પ્રવચનમાં મોટી સંખ્યામાં ઇસ્કોનના અનુયાયીઓ તેમજ કૄષ્ણભક્તો જોડાયા હતા. તેમણે પોતાના પ્રવચનમાં જણાવ્યું હતું કે વ્રજભૂમિ એ પ્રેમની ભૂમિ છે જ્યાં સર્વત્ર પ્રેમભાવ જોવા મળે છે અને પ્રેમ એ જ જીવનનું મૂળ ઉદ્દેશ છે. વ્રજભૂમિ એવી ભૂમિ છે, જ્યાં મગજને નહીં ફક્ત હૃદયને જ સ્થાન છે.

મોટી સંખ્યામાં ઉપસ્થિત ઇસ્કોનના અનુયાયીઓ અને કૃષ્ણ ભક્તો તેમના પ્રવચનથી મંત્રમુગ્ધ થઈ ગયા હતા અને કૃતાર્થ થયા ની લાગણી અનુભવી હતી.


Share

Related posts

ભરૂચમાં બે પોલીસ કર્મીઓ બાખડ્યા: એક પોલીસ કર્મીને ઈજા

ProudOfGujarat

નડિયાદ : ગળતેશ્વરના સેવાલિયામાં રાહદારીને બાઇકે ટક્કર મારતાં મોત.

ProudOfGujarat

અંકલેશ્વર – હાંસોટ રોડ પર આવેલ તળાવમાંથી યુવતીની હત્યા કરાયેલ હાલતમાં લાશ મળી આવતા ચકચાર

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!