Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચ તાલુકાનાં નિકોરા ગામે ફાર્મ હાઉસમાં થયેલ દુષ્કર્મ અંગે આમ આદમી પાર્ટીએ પાઠવ્યું આવેદન.

Share

ભરૂચ તાલુકાનાં નિકોરા ગામે ફાર્મ હાઉસમાં કેટલાક શાસક પક્ષના નેતાઓ દ્વારા સત્તાના નશામાં ધૂત થઈ દારૂ પી ને યુવતીઓ સાથે દુષ્કર્મ આચર્યું હોવાના કથિત આક્ષેપ સાથે આમ આદમી પાર્ટીના ભરૂચ વિધાનસભાના સંગઠન મંત્રી દ્વારા ભરૂચના કલેકટર તથા જીલ્લા પોલીસ વડાને આવેદનપત્ર પાઠવવામા આવ્યું હતું.

આમ આદમી પાર્ટીના ભરૂચના સંગઠન મંત્રીએ જણાવ્યુ હતું કે અમોને સોશિયલ મીડિયા તથા લોકમુખે ચર્ચા મુજબ માહિતી મળી હતી કે ભરૂચ તાલુકાનાં નિકોરા ગામે શાસક પક્ષના કેટલાક નેતાઓ દ્વારા શરાબ અને સુંદરીની મહેફિલ રાખી પક્ષ બે થી ત્રણ યુવતીઓ સાથે નશામાં ધૂત થઈ દુષ્કર્મ આચર્યું હોવાની માહિતી મળી છે. વધુમાં તેઓએ જણાવ્યુ હતું કે શું આ ઘટના સાચી છે? જે દિશામાં તથ્ય સુધી પહોંચી સાચી વાત બહાર લાવવા અને લોકો ગેરમાર્ગે ન દોરાઈ તે માટે તટસ્થ તપાસ કરવા કલેકટર અને જિલ્લા પોલીસ વડાને આવેદન આપી જણાવવામાં આવ્યું છે તેમજ જો કોઈ દોષિત હોય તો તેને પકડી પીડિત યુવતીને ન્યાય અપાવવા અનુરોધ કર્યો છે.

Advertisement

અનવર મન્સૂરી


Share

Related posts

ભરૂચ નગરના ભોઇવાડ વિસ્તારમાં રસ્તા ઉપર ઉંડા ખાડાના પગલે વાહનચાલકો ત્રાહિમામ તેમજ ગંદકીની સમસ્યા ઉદ્ભવી…

ProudOfGujarat

અંકલેશ્વરના ગુજરાત હાઉસિંગ બોર્ડ ના પાછળના ભાગે સૂકા કચરામાં આગ લાગી.ચારથી પાંચ જેટલા કાચા મકાનો નો બચાવ….

ProudOfGujarat

ભરૂચ : ઇખર ગામ ખાતે કોવિડ સેન્ટર શરૂ કરવામાં આવ્યું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!