Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચમાં વાલ્મીકિ સમાજ અને દલિત સમાજ દ્વારા નગરપાલિકા ખાતે હાથરસ અને રાપર બનેલ ઘટનાનાં વિરોધમાં આવેદનપત્ર આપી મૃતકને શ્રદ્ધાંજલી આપવામાં આવી.

Share

વાલ્મીકિ સમાજ અને દલિત સમાજ દ્વ્રારા તાજેતરમાં હાથરસ અને રાપર જેવા વિસ્તારોમાં દલિતો પર થયેલ અમાનુષી અત્યાચારને વખોડી આ બનાવમાં જીવ ગુમાવનાર મનીષાબેન અને વકીલ દેવજીભાઇનાં ફોટા પર હાર પહેરાવી નગરપાલિકા ખાતે શ્રદ્ધાંજલી આપવામાં આવી હતી.

ત્યારબાદ આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. આવેદનપત્રમાં જણાવ્યા મુજબ દલિતો પર થયેલ હુમલાઓ અને આ હુમલામાં જીવ ગુમાવનાર યુવતીને શ્રદ્ધાંજલી આપી આવા હિંસક બનાવમાં સંડોવાયેલાને કડક સજા કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી. સાથે જ કેટલાક અધિકારીઓએ દ્વ્રારા પણ કાયદાની વિરુદ્ધ જઇ હાથરસ અને અન્ય જગ્યાઓમાં કાર્યવાહી કરવામાં આવી હતી. આવા અમલદારો સામે પણ કડક હાથે કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી. સમગ્ર દેશમાં ખૂબ મોટા પ્રમાણમાં દલિતો પર અત્યાચારનાં બનાવો વધી ગયા છે. તે અંગે જો કડક હાથે કામ નહીં લેવાય તો આંદોલનની ચીમકી આપવામાં આવી હતી.

Advertisement

Share

Related posts

ગાયક સૂર્યવીર તેના નવા સિંગલ ‘યાદ આ રહા હૈ’ દ્વારા બપ્પી દા ના વારસાને ભવ્ય શ્રદ્ધાંજલિ અર્પણ કરી.

ProudOfGujarat

નર્મદા ડેમમા ભર ઉનાળે પાણીની આવક વધી, નર્મદા ડેમની સપાટી 118.38 મીટરે પહોંચી.

ProudOfGujarat

ઝઘડીયા ભાજપ યુવા મોરચાનો “યુવા જોડો અભિયાન” અંતર્ગત નર્મદા જિલ્લાનો પ્રવાસ કર્યો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!