Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચ : ઝાડેશ્વર ગામ કન્યા શાળામાં ઈકો ફ્રેન્ડલી આરતી શણગાર સ્પર્ધા યોજાઈ.

Share

ઝાડેશ્વર ગામમાં આવેલ કન્યા શાળામાં ભણતી વિદ્યાર્થીનીઓ માટે સંસ્કૃતિ સમાજ સેવા સંસ્થાન ટ્રસ્ટ, ભરૂચની બહેનો દ્વારા દશામાં ના વ્રત નિમિત્તે કરવામાં આવતી આરતીના શણગારની સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું. જેમાં વિદ્યાર્થીનીઓ દ્વારા કુદરતી રંગો, ફુલો તથા ઈકો ફ્રેન્ડલી વસ્તુઓના ઉપયોગથી આરતીનો શણગાર કરવામાં આવ્યો હતો.

આ પ્રોજેક્ટના ચેરમેન શિતલબેન ગોસાલિયા, નિપાબેન ભાવસાર અને ભાવનાબેન સાવલિયા હતા. આ પ્રસંગે સંસ્કૃતિ ટ્રસ્ટના સંસ્થાપક હેમાબેન પટેલ, સંસ્થાના બહેનો તથા કન્યા શાળાના શિક્ષકો એ ઉપસ્થિત રહી વિજેતાઓને ઇનામો આપી પ્રોત્સાહિત કર્યા હતા અને ધર્મ સાથે પ્રકૃતિના રક્ષણનો શુભ સંકલ્પ કરાવવામાં આવ્યો હતો.

Advertisement

Share

Related posts

ગાંધીનગર ખાતે  શિક્ષણ મંત્રી તથા આદિજાતિ મંત્રી ડૉ. કુબેરભાઈ ડિંડોર તથા પ્રો. જિતેન્દ્ર ચૌધરી, ડૉ. પ્રતિભા ચૌધરી, ડૉ. નીલ ચૌધરી અને  ભૂમિલ અણિયાળયાનાના વરદ હસ્તે જયશ્રી ચૌધરીની “ છિલુગરી” નવલકથાનું  વિમોચન કરવામાં આવ્યું.

ProudOfGujarat

મુંબઈના હાઈરાઈઝમાં લિફ્ટ પડી જતાં એકનું મોત, ત્રણ ઇજાગ્રસ્ત

ProudOfGujarat

શહેરા તાલુકાના વાઘજીપુર ખાતે જળ સંચય અભિયાનનો પ્રારંભ કરાવતા મુખ્યપ્રધાન વિજય રુપાણી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!