Proud of Gujarat
GujaratFeaturedINDIA

એક કિલોમીટર કાદવ કીચડ ખુદીને પણ ભક્તોએ માં નર્મદા નદીમાં દશામાંને વિદાય આપી…

Share

૧૦ દિવસ માં દશામાંની પુજા અર્ચના આરધના બાદ અંતિમ દિવસે જાગરણ કરી માં ને ભક્તિભાવ પુર્વક વીદાય આપતા નર્મદા ઓવારે કાદવ-કિચડ હોવા છતા ભક્તોએ નીલકંઠેશ્વર નર્મદા ઓવારે કિલો મીટરનો કાદવ ખુદીને માં ને વિદાય આપી હતી તો દશાશ્વમેઘ ઘાટ ઉપર તો નર્મદા ના વહેણના અભાવે હિન્દુ સંગઠનો એ ૪૫૦૦ થી વધુ પ્રતિમા ઓ એકત્રીત કરી નર્મદા ના જળમાં પધરાવી હતી.

સોમવારની રાત્રીએ દશામાં નુ વ્રત કરનારા ભક્તો એ જાગરણ કરી રાત્રીના ૧૧ વાગ્યાથી માં ને વિદાય આપવા માટે વિવિધ વિસ્તારોમાંથી ભવ્ય શોભાયાત્રાઓ નીકળી હતી.

Advertisement

જો કે ઝાડેશ્વરના નીલકંઠેશ્વર નર્મદાના ઓવારે નર્મદાના નીર સુધી જવા માટે ૧ કિલો મીટર નો કાદવ કીચડ જોઈને ભક્તો ભારે મુજવણમાં મુકાઈ ગયા હતા.

પરંતુ માં દશામાંની ૧૦ દિવસની પુજા-અર્ચના કરી હતી એટલે એક કિલો મીટરનો કાદવ-કીચડ અને તે પણ ઘુટણ સમા કાદવ-કીચડ હોવા છતા પણ ભક્તો એ માં દશામાને નર્મદા જળમાં પધરાવી વિદાય આપી હતી .

જો કે ૨ કિલો મીટર દુર નર્મદા ના નીર હોવાથી ભક્તોની પ્રતિમાઓ હિન્દુ સંગઠન આર.એસ.એસ. ટાઈગર એકતા ગ્રુપ ક્લીન ભરૂચ ક્લીન નર્મદા સહિતના વિવિધ સેવા ભાવી સંસ્થાઓ સંગઠનના કાર્યકરો એ ખડે પગે રહી ભક્તોની માતાજીની મૂર્તિઓ એકત્રીત કરી સવારે ટ્રેકટરોમાં લઈ જઈ માતાજીને વિદાય આપી હતી.


Share

Related posts

કસક માંથી ઝેરી સાપ પકડાયો.

ProudOfGujarat

પર્યાવરણ પ્રત્યે ખતરા સમાન બનેલા ઉદ્યોગો સામે ભરૂચ કોંગ્રેસના ધરણા, પોલીસે આગેવાનોની કરી અટકાયત

ProudOfGujarat

ઝઘડિયા પાણેથા માર્ગ વચ્ચે ચાલતા પશુઓના કારણે અકસ્માતની દહેશત.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!