Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : મુન્શી સંકુલમાં ૭૪ માં પ્રજાસત્તાક દિનની ઉજવણી કરાઇ.

Share

આજરોજ મુન્શી મનુબરવાલા મેમોરિયલ ચેરીટેબલ ટ્રસ્ટ ભરૂચના કેમ્પસમાં ૭૪ મો પ્રજાસત્તાક દિવસ તથા વિવિધ સંસ્થાઓ દ્વારા સાંસ્કૃતિક પ્રોગ્રામ ઉજવવામાં આવ્યો હતો.

સવારે ૮:૩૦ કલાકે વિદેશથી પધારેલા જનાબ ઉસ્માનભાઈ પટેલ દ્વારા ધ્વજારોહન કરવામાં આવ્યું હતું સાથે સાથે સંસ્થામાં ઉપપ્રમુખ જનાબ હારૂનભાઈ પટેલ તથા ટ્રસ્ટી યુનુસભાઇ પટેલ, કારોબારી સભ્ય સલીમ ભાઈ અમદાવાદી હાજર રહ્યા હતા. આઈ.ટી.આઈ.ના આચાર્ય આરીફ પટેલ દ્વારા મહેમાનોનું શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું.

સંસ્થાના વિવિધ વિભાગો દ્વારા સુંદર સાંસ્કૃતિક પ્રોગ્રામ રજૂ કરી તેની સાથે સાથે પોતાના વિભાગનો સુંદર રિપોર્ટ પણ રજૂ કરવામાં આવ્યો હતા.
આ પ્રોગ્રામમાં તમામ આચાર્ય મિત્રો, સ્ટાફગણ તેમજ વિદ્યાર્થી મિત્રો હાજર રહ્યા હતા અંતમાં મોહમદ પુરા આઈ.ટી.આઈ. ના આચાર્ય લુકમાન પટેલ દ્વારા આભારવિધિ કરી પ્રોગ્રામના અંતે લાડુ ખવડાવી મો મીઠું કરી પ્રોગ્રામને પૂર્ણ કરેલ હતો.

Advertisement

Share

Related posts

સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસરમાં પ્લાસ્ટિક અને તમાકુની વસ્તુઓ પર પ્રતિબંધની સરકારની વિચારણા.

ProudOfGujarat

કોરોનાનાં કેસ વધતા રાજપીપળા સમસ્ત વેપારી મંડળે તમામ દુકાનો સવારે ૭ થી બપોરનાં ૨ વાગ્યા સુધી દુકાનો જ ખુલ્લી રાખવાનો નિર્ણય લીધો.

ProudOfGujarat

દેડીયાપાડાના પાટડી ગામેથી સુજલામ સુફલામ જળ અભિયાનના” પાંચમાં તબક્કાનો પ્રારંભ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!