Proud of Gujarat
FeaturedGujaratINDIA

તમારું ભરૂચ હોય તો ભલે હોય, હું ગુજરાતની કોઈ જેલના નિયમ માનતો નહીં કહી કાચા કામના કેદીનો અમલદાર પર જીવલેણ હુમલો

Share

ભરૂચ સબજેલમાં કાચા કામના કેદી અને જેલમાં બેરેક હાજરી નોંધતા જેલ અમલદાર વચ્ચે ગાળાગાળી અને મારામારી થઈ હોવાની ઘટના સામે આવતા ભારે ચકચાર મચી છે, જે બાદ મામલે જેલ અમલલદાર દ્વારા ભરૂચ બી ડિવિઝન પોલીસ મથક ખાતે કાચા કામના કેદી સામે ફરિયાદ દાખલ કરાવી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર ભરૂચ સબ જેલ ખાતે હલાવદાર તરીકે ફરજ બજાવતા સંજયકુમાર નટવરલાલ વસાવા તારીખ 14/05/2023 ના રોજ સવારના સમયે સબજેલના બેરેક નંબર સી /2 માં કેદીઓની ગણતરી કરવા માટે ગયા હતા, જ્યાં તેઓએ તમામ કેદીઓને બે બે ની જોડમાં બેસવા માટે કહ્યું હતું પરંતુ સબ જેલમાં કાચા કામના ગુનામાં સજા કાપી રહેલ ચિરાગ અશોકભાઈ પંડયા નામનો કેદી બેસ્યો ન હતો.તેમજ અચાનક ઉશકેરાઈ જઈ હવાલદાર સંજય કુમાર વસાવાને ગાળો બોલી તેની નજીક જઈ કોલર પકડી લઈ તમારું ભરૂચ હોય તો ભલે હોય પણ હું જેલ બહાર નીકળીશ તો તને જાનથી મારી નાખીશ અને હું આજદિન સુધી ગુજરાતની કોઈ જેલના નિયમ માનતો નથી તેમ જણાવી હવાલદાર ઉપર હુમલો કર્યો હતો, જે બાદ અન્ય કેદીઓએ બંનેને છોડવ્યા હતા.

Advertisement

મામલે હવાલદાર દ્વારા ભરૂચ જેલ ઇન્ચાર્જ અધિક્ષક એન.પી રાઠોડને માહિતગાર કરતા અધિક્ષકની હાજરીમાં કાચાકામના કેદીએ ફરીથી ઉશકેરાઈ જઈ હવાલદાર સંજયકુમારને ગાળો બોલવા લાગ્યો હતો અને પોતાના હાથમાં પતરાના તિક્ષ્ણ હથિયાર વડે જાતે જ લીટા પાડી લઈ હું તારા વિરુદ્ધ કોર્ટમાં ફરિયાદ કરી તને નોકરીમાંથી કઢાવી નાખીશ જેવી ધમકીઓ આપતાં આખરે જેલ હવાલદાર દ્વારા મામલે કાચા કામના કેદી ચિરાજ અશોકભાઈ પંડયા સામે ભરૂચ બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ આપી ગુનો દાખલ કરાવ્યો હતો.


Share

Related posts

ભરૂચ સિવિલ હોસ્પિટલમાં એ.આર.ટી. સેન્ટરના કર્મચારીઓના યોગ્ય વળતરની માંગણી પુરી ન થતા પગારનો કર્યો અસ્વીકાર.

ProudOfGujarat

સુરતની નવી સિવિલ ખાતે સારવાર લઈ ભરૂચ જિલ્લાના રૂંધા ગામનાં સગર્ભા ગૃહિણીએ ૧૭ દિવસનાં અંતે કોરોનાને આપી મ્હાત…

ProudOfGujarat

ધી પાલેજ હાઇસ્કુલ પાલેજનું ધોરણ 10 નું ૭૩ ટકા પરિણામ આવ્યું

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!