Proud of Gujarat
FeaturedGujaratINDIA

પાલેજ અને વરેડીયા રેલવે સ્ટેશન વચ્ચે ટ્રેનમાંથી પડી જતા આધેડનું મોત.

Share

ભરૂચ જિલ્લાના પાલેજ અને વરેડીયા રેલવે સ્ટેશન વચ્ચે ટ્રેનમાંથી પડી જતા એક આધેડનું મોત નિપજવા પામ્યું હતું. રેલેવે પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર પાલેજ અને વરેડીયા રેલવે સ્ટેશન વચ્ચે ટ્રેનમાંથી ગતરોજ કલાક ૧૧/૧૫ વાગ્યા પહેલાં એક આધેડ પડી જતા તેઓનું મોત નિપજવા પામ્યું હતું.

ઘટનાની જાણ થતા ભરૂચ રેલવે પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ તુલસીભાઈ એ ઘટના સ્થળે પહોંચી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી. મૃતકના જમણા હાથે રમેશ વાઘેલા લખેલ છે. મૃતકે વાદળી રંગનો શર્ટ તથા એસ કલરનો પેન્ટ પહેરેલ છે. ઉ.વ. આશરે ૬૫ છે. મૃતકના વાલી વારસોને ભરૂચ રેલવે પોલીસ મથકનો સંપર્ક કરવા જણાવાયું છે.

Advertisement

યાકુબ પટેલ, પાલેજ


Share

Related posts

સુરતઃ પતિ સાથે ઝઘડો થયા બાદ પત્નીએ બે બાળકો સાથે ટ્રેન નીચે કૂદી કર્યો આપઘાત

ProudOfGujarat

ભરૂચ જિલ્લામા ઠંડી નુ પ્રમાણ ઘટયુ

ProudOfGujarat

શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુંદ્રાની ક્રાઇમ બ્રાન્ચે કરી ધરપકડ, જાણો શું છે ઘટના

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!