Proud of Gujarat
bharuchFeaturedGujaratINDIA

નવા તવરા ગામે દુકાનમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી

Share

નવા તવરા ગામે દુકાનમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી

15 લાખથી વધુ કિંમત નો દુકાનમાં રહેલા સામાન બરી ને ખાખ થઈ ગયો

Advertisement

ભરૂચ નગરપાલિકાના બે ફાયર બંબા દ્વારા આગને કાબુમાં લેવાય

ભરૂચ તાલુકાના નવા તવરા ગામે શૈલેષભાઈ ઠાકોરભાઈ મોદીના દુકાનમાં આજે વહેલી સવારે 3:00 વાગ્યાના અરસામાં દુકાનમાં સોટ સર્કિટના કારણે આગ લાગતા સંપૂર્ણ દુકાન બરીને ખાખ થઈ ગઈ હતી દુકાનમાં રહેલી સામગ્રીઓ સહિત બે ફ્રીજ પણ બરી ને ખાખ થઈ ગયા હતા આજે વહેલી સવારે 3 વાગ્યાના અરસામાં શૈલેષભાઈ ઠાકોરભાઈ મોદીના ઘરમાં રહેલી દુકાનમાં આજે વહેલી સવારે આગ લાગી હતી જોકે જેવો મકાનના બીજા માર સેકન્ડ ફ્લોર ઉપર સુતા હતા જેને લઇ તેઓને પણ આગની જાન ન થઈ હતી આગની 15 થી 20 મિનિટ બાદ સામે રહેલા વ્યક્તિઓએ તેઓને બૂમ પાડી જણાવ્યું હતું કે તમારી દુકાનમાં આગ લાગી છે જે જોઈ તેવો તરત જ બહાર નીકળ્યા હતા અને ઘરમાં રહેલ ચારેય વ્યક્તિઓ ઘરમાંથી બહાર નીકળવાના પ્રયાસો કર્યા હતા જોકે ભારે જહમદ બાદ તેઓ સહી સલામત બહાર નીકળ્યા હતા અને ત્યારબાદ તેઓએ ભરૂચ નગરપાલિકાના ફાયર ફાઈટરને જાણ કરતા ભરૂચ નગરપાલિકા ના બે ફાયર બંબા તાત્કાલિક પહોંચતા દુકાનમાં લાગેલી આગ પર કાબુ મેળવ્યો હતો. જોકે આ ઘટનામાં કોઈ જ પ્રકારની જાન હની થવા પામી ન હતી પરંતુ દુકાનમાં રહેલો 15 લાખથી વધુ કિંમતનો માલ સામાન બરી ને ખાખ થઈ ગયો હતો ત્યારે નવા તવરા ગામે દુકાનમાં આગ લાગી હોવાના મેસેજ ફરતા ગામ લોકોના તોરે તોરા ઘટના સ્થળ પર પહોંચ્યા હતા.


Share

Related posts

સુરત : નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સભ્યોની ચૂંટણીમાં વિરોધ પક્ષના નેતા સાથે સિક્યુરિટી ગાર્ડે દાદાગીરી કરતા હોબાળો મચ્યો.

ProudOfGujarat

ભરૂચ જિલ્લામાં કોરોના વાયરસથી સંક્રમિત થયેલા વધુ 10 લોકોનો રિપોર્ટ પોઝિટિવ આવતા જિલ્લામાં કુલ 171 લોકો કોરોનાથી સંક્રમિત થયા જ્યારે બે લોકોના મોત થતા જિલ્લામાં કુલ 8 લોકોના મોત થયા હોવાની વિગતો બહાર આવી છે.

ProudOfGujarat

ભરૂચની મોરલ હાઈલેન્ડ સોસાયટીમાં શાહુડીનું સફળ રેસ્ક્યુ, વન વિભાગ અને નેચર પ્રોટેક્શન ટ્રસ્ટની ત્વરિત કામગીરી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!