Proud of Gujarat
bharuchFeaturedGujaratINDIA

ભારત બંધના એલાનમાં ભરૂચ જિલ્લા બહુજન સમાજ યુનિટ જોડાયુ..

Share

ભારત બંધના એલાનમાં ભરૂચ જિલ્લા બહુજન સમાજ યુનિટ જોડાયુ..

ભરૂચમાં આંબેડકર પ્રતિમાને ફુલહાર અર્પણ કરી સુપ્રીમ કોર્ટના ચુકાદા સામે વિરોધ વ્યક્ત કરાયો..

Advertisement

એસસી એસટી સમાજના બંધારણીય અધિકાર અનામત વિરુદ્ધ સુપ્રીમ કોર્ટના નિર્ણયને બહુજન સમાજે વખોડીયુ

ભરૂચ

સુપ્રીમ કોર્ટના એસસી એસટી સમાજના બંધારણીય અધિકાર અનામતના નિર્ણય સામે સમગ્ર ગુજરાતમાં આજે બંધનો એલાન જાહેર કરતા ભરૂચ જિલ્લા બહુજન સમાજ યુનિટી દ્વારા પણ સ્ટેશન નજીક આંબેડકરની પ્રતિમા પાસે લોકોએ એકત્ર થઈ આંબેડકર અને ફુલહાર પણ કરી સુપ્રીમ કોર્ટના ચુકાદા સામે વિરોધ વ્યક્ત કરી ચુકાદાને રદ કરવાની માંગ કરી છે

સુપ્રીમ કોર્ટમાં સાત ન્યાયાધીશોની બેન્ચ પર એક એસસી એસટી સમાજના બંધારણીય અધિકાર અનામત વિરુદ્ધ સુપ્રીમ કોર્ટના નિર્ણય સામે સમગ્ર ગુજરાતમાં 21 મી ઓગસ્ટને ભારત બંધનો એલાન જાહેર કરવામાં આવતા ભરૂચ જિલ્લામાં પણ બહુજન સમાજ યુનિટ દ્વારા ભરૂચના રેલવે સ્ટેશન નજીક ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પાસે બહુજન સમાજના લોકો એકત્ર થયા હતા અને સુપ્રીમ કોર્ટના ચુકાદા સામે ભારે સૂત્ર ચાર સાથે વિરોધ વ્યક્ત કરી આંબેડકરને ફુલહાર અર્પણ કરી સુપ્રીમ કોર્ટના નિર્ણયને પરત ખેંચવાની માંગ કરી હતી સુપ્રીમ કોર્ટના નિર્ણય રદ કરવામાં નહીં આવે તો હજુ ઉગ્ર આંદોલન થઈ શકે તેવા એંધાણો પણ વર્તાઈ રહ્યા છે


Share

Related posts

લોકરક્ષક દળની પરીક્ષા ભરૂચજિલ્લામાં ૪૦ કેન્દ્ર પર યોજાઈ…..

ProudOfGujarat

ભરૂચ જિલ્લાની જીઆઇડીસીઓમા આવેલ કંપનીઓ દ્વારા ખાનગી ખેતરોમાં કેમિકેલનો નિકાલ કરતા ઉદ્યોગો જાણો ક્યાં અને કેવી રીતે?

ProudOfGujarat

રાજપીપલામાં શિક્ષણ મંત્રી ચુડાસમાની ઉપસ્થિતિમાં “શહેરી જન સુખાકારી દિવસ” નો જિલ્લાકક્ષાનો યોજાયેલો કાર્યક્રમ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!